Born
December 17th, 1952
Passed Away
May 18th, 2008
Popularly Known as
Bhadu
Occupation
Retired Bank Employee, Music Composure, Sugam Sangit
Spouse
Pallavi
Religion
Hindu
Caste
-
Native
Rajkot
Country
India
Dedicated to Our
Beloved (D)holakia Bhadrayu on Friendship Day
(A)njaria Mayur
(B)axi Naresh
(C)hhaya Hemendra
Shradhanjali By
Mayur Anjaria,
Naresh Baxi,
Hemendra Chhaya by ABC To Beloved D Bhadryu Dholakia
Biography of Bhadrayu Arvindbhai Dholakia
શિક્ષણ, કલા અને સંસ્કારથી દૈદિપ્યમાન એવા મુ. અરવિંદભાઈ માલાભાઈ ધોળકીયાના વારસાનું જતન કરી તેને દીપાવનાર પુત્ર શ્રી ભદ્રાયુ અરવિંદભાઈ ધોળકિયા તા.૧૮/૦૫/૦૮ ની સવારે અચાનક સૌને અલવિદા કરી ફાની દુનિયા છોડી ગયા. અત્યાર સુધી મેળવેલ અસંખ્ય સિધ્ધિઓ, દેશ-પરદેશમાં આપેલા કાર્યક્રમો, તેમની કેસેટ-સીડી પ્રસ્ધ્ધિથી માંડી છેલ્લા વિરલ એવા ગુજરાત રાજ્યના ગૌરવ પુરસ્કાર સુધીના સમાચારો લખતાં અમારી અને સૌ વાંચનારની છાતી ગજગજ ફૂલતી તેવા સુગમ સંગીતના મહારથી, સ્વરકાર, ઉદ્ઘોષક અને તે કરતા પ વિશેષ સંસ્કાર ની સુવાસ-અંતરના ઉજાસ, મૃદુભાષી,કૃષ્ણ જેમનું પ્રિય પાત્ર તેથી અવનવા વેશપરિધાન, દરરોજ તરોતાજા અવનવી વાતો, વડીલો સાથે તેના બરની વાતો, તો યુવાનો મિત્રો સાથે તેના લેવલની જોક્સ, શેર-શયારી, SMS, અને કૃષ્ણ જેવું જ પ્રેમાળ, ખાનદાની, નિખાલસ, ઉમદા વ્યક્તિત્વ... મળે તેને તેનું સાનિધ્ય અને સામિપ્ય માણવું ગમે તેવા ભદ્રાયુ અરવિંદભાઈ ધોળકિયાની જીવનમંચ પરથી અચાનક EXIT નાં સમાચારે કુટુંબીજનો કે જ્ઞાતિનેજ નહિ દેશ પરદેશનાં અગણિત ચાહકો, સાથીદાર, કલાકારો, મિત્રો શુભેચ્છકોને ગદગદ રડાવ્યા જ નહિ એક ખાલીપો સર્જી ગયા.
દરેકના આપ્તજન હોય કે દરેક માટે આપ્તજન હોય તેમ ચિરનિંદ્રામાં પોઢેલ ભદ્રાયુભાઈને જાણે છેલ્લીવાર પણ મળી લેવાની તાલાવેલી સાથે માનવ મહેરામણ ઉમટી પડેલ. અંતિમયાત્રા માટે માર્ગો ટૂંકા પડેલ, રાહ્દારીયોએ પણ દંગ રહી આખરી સલામી આપી હતી. વર્તમાનપત્રોએ વિસ્તૃત કવરેજ આપ્યું, દુરદર્શન આકાશવાણીએ પણ વિશેષ કાર્યક્રમ આપ્યા. કહે છે જેવું જીવન તેવું મૃત્યુ હોય છે....
'ગુલમ્હોર' માં નીવાસીત ભદ્રાયુ ધોળકિયા સુગમાં સંગીત, સ્વરાંકન, લેખક, ઉદ્ઘોષક તરીકે ૫૬ વર્ષની જિંદગી દરમ્યાન વસંતમાં ખીલતા ગુલમહોરની જેમ જ મ્હોરી ઉઠ્યા હતા.
સુગમ સંગીત ક્ષેત્રે 'ટોપ - ૧૦' માં ગણના કરી શકાય તેવા ભાદ્રયુભાઈએ 'અમે શિવરંજની' ની સ્થાપના દ્વારા સુગમ સંગીતને નવાનવા પ્રયોગો દ્વારા જીવંત રાખ્યું છે. અને જે રહેશે. ટૂંક સમયમાં પહેલા તેમના નેજા હેઠળ રાજકોટના વિરાણી હાઈસ્કૂલનાં મધ્યસ્થ મંડળમાં અનેક જાણીતા કલાકારોને લઈને યોજાયેલ સર્વાંગ સુંદર યાદગાર કાર્યક્રમ જ્ઞાતિ માટે અંતિમ કાર્યક્રમ હશે તેવી આપણને કલ્પના પણ હતી?
૧૯૯૬-૧૯૯૮ સંગીત નાટ્ય અકાદમીના સભ્ય તરીકે રહી જ્ઞાતિ સહીતનાં કલાકારોને 'પ્લેટફોર્મ' પૂરું પાડ્યું, તો સંગીત-વાદ્યનાં વર્ગો દ્વારા અનેક પ્રતિભાઓ તૈયાર કરી.
ઉદઘોષક - (પ્રોગ્રામ કોમ્પીયાર) તરીકે માણવા એક લ્હાવો હતો. ઇનસ્ટંટ પંકિતો શાયરી, જોક્સ, ટીખળ. જેવો કાર્યક્રમ તેવા મૌલિક વિચારો સ્ફ્રુરિત થતા આવે. તા.૧૯/૦૪ ના રોજ રાજકોટ ખાતે નરસિંહ મહેતાની પ્રતિમા સમયની ઉદ્ઘોષના માટે વિશાલ સંખ્યામાં ઉપસ્થિત જ્ઞાતિજનો તેના સાક્ષી છે... બરછીનો ગતાંક ફરીથી વાંચશો તો પણ વાહ પોકારી ઉઠશો જ. લીલા તો જુઓ ! આ પણ જ્ઞાતિ માટેનો છેલ્લો કાર્યક્રમ !
એડવાઈઝરી કમિટી ફોર યુથ પ્રોગ્રામ આકાશવાણી રાજકોટ યુથ બોર્ડ ગાંધીનગરના સભ્ય, ભાવનગર યુની. નાં ફાઈન આર્ટ ફેકલ્ટી તરીકે, પાયલ તથા હેમુ ગઢવી સ્મૃતિ સંસ્થાનમાં ટ્રસ્ટી તરીકે જોડાયેલા રહી સંસ્કૃતિક ક્ષેત્રે મુલ્યવાન પ્રદાન આપ્યું.
ભદ્રાયુભાઈનાં પ્રોડ્યુસર અને ડીરેક્ટર તરીકે દુરદર્શન પરથી રજુ થયેલ કાર્યક્રમ 'તાક ઘીના ઘીન ' ,' સંતાકૂકડી' જેવા સંગીત પ્રધાન કાર્યક્રમોએ તેમના સંગીતના ઊંડા જ્ઞાનનો પરિચય કરાવેલ. હિન્દી ફિલ્મ 'અગ્નિકાલ' માં બ્રેક ગ્રાઉન્ડ મ્યુઝીક આપ્યું તો 'ભાભી' તથા 'નાટક' સીરીયલ માં પોતાનો કંઠ આપ્યો હતો. વાવ તેમજ આંખોની આરપાર જેવી ટેલીફિલ્મોમાં અભિનયનાં ઓજસ પાથરી કલાના દરેક ક્ષેત્રે પોતાનો જીવ રેડયો.
ગુજરાતી સંગીતને લોકભાગ્ય બનાવવા નવા નવા પ્રોયોગો માટે જાણીતા ભદ્રાયુભાઈ આર્થિક ઉપાર્જનના ઉદેશ વિના લગ્નગીતો, બાળગીતો, ભજન, સ્તવનોની પોતાના અને અન્ય કલાકારોના કંઠ સાથે અસંખ્ય કેસેટ્સ સીડી તૈયાર કરાવે અને મિત્રો, શુભેચ્છકોને છૂટ થી વિતરિત પણ કરે. છેલ્લે તો આપના સંસ્કાર જળવાઈ રહે ઘરમાં કથા થઇ શકે તે માટે પોતાના અવાજમાં સંગીતમય સત્યનારાયણ ભગવાનની કથાની સીડી તૈયાર કરાવી વિતરિત કરી.
થોડા વર્ષોથી બેન્કમાં સ્વેછીક નિવૃત્તિ લીધા બાદ તો સંગીત જ જીવનમંત્ર બનાવ્યો હોય તેમ થોડા વર્ષોથી નવરાત્રી દરમ્યાન નવ નવ રાત પોતાનો કંઠ આપી યુવાનોને ગરબે ઘુમાવ્યા હતા, તો શ્રીનાથજીની ઝાંખી કાર્યક્રમે દેશ વિદેશમાં ધૂમ નામના મેળવી. ભદ્રાયુભાઈ સલામ !
'મારી અંત સમય કેરી સુણો અરજી, લેજો ચરણોમાં નાથજી દયારે કરી
લેજો શ્રીનાથજી બાવા દયારે કરી, મને તેડાં રે યમ કેરાં કડી નાં આવે, મારો નાથ તેડાવે.....'
જાણે ઈશ્વરે અરજ સ્વીકારી હોય તેમ ભદ્રાયુભાઈ આપની વચ્ચે સ્થૂળ દેહે ન રહ્યા પરંતુ તેમના પ્રેમ, શબ્દો, સંગીત અને સ્વર દ્વારા હંમેશા હૃદયસ્થ રહેશે.
Family Tree of Bhadrayu Arvindbhai Dholakia
Harshaben
Arvindbhai
Pallavi
Kasturi B. Mankodi
Madhav B. Mankodi
Sahin B. Mankodi
Raksha Ashok Pota
Bhavin J. Mankodi
Kaushalyaben Natvarlal Vasavada
Natvarlal Vasavada
Ashokbhai Pota
Sharadbhai Vasavada
Rohitbhai Vasavada
Virendrabhai Vasavada
Umeshbhai Vasavada
Punitbhai Vasavada
Yogini Antani
Post a tribute & share memories
Fond Memories & Remembrance
Related Profiles
Post Condolences
Mahesh Pathak
2 years ago
Sunil anjaria
4 years ago
Naresh Baxi
4 years ago
mahendra
4 years ago
Maulesh Chhaya
5 years ago
Smarnnajali.
💐💐💐🙏🙏🙏
Smarnnajali.
💐💐💐🙏🙏🙏