
Born
April 25th, 1915
Passed Away
January 06th, 2014
Occupation
Business
Religion
Jain
Native
Padadhri
Country
India
You always had a smile to share,
Time to give and time to care.
A loving nature,
A heart of gold,
you were the best this world could hold.
Shradhanjali By
shradhanjali family
Biography of Deepchandbhai Gardi

સમગ્ર ભારત વર્ષમાં દાનનો અરંપાર મહિમાને સાર્થક કરીને ભારતના ભામાશા તરીકે અપાર લોકચાહના મેળવનાર દીપચંદભાઈ ગારડીનો ૧૦૧ વર્ષની વયે દેહવિલય થયો છે. મુંબઈ ખાતે તેમણે અંતિમ શ્વાસ ખેંચતા ઘેરા શોકની લાગણી છવાઈ ગઈ છે. ભારતના સેવાકીય ગગનમાંથી એક ચમકતા સીતારાનો વિલય થયો છે.
દીપચંદભાઈ ગારડીની અંતિમયાત્રા આજે બપોરે ૧૨ કલાકે મુંબઈની ચંદનવાડી ખાતે નીકળશે. જેમા મોટી સંખ્યામાં સામાજીક, શૈક્ષણિક ઉપસ્થિત રહી અંજલી પાઠવશે.
છેલ્લા ૨૦ દિવસથી મુંબઈ ખાતે બીમારી સબબ હોસ્પીટલમાં સારવાર લેતા દાનવીર દીપચંદભાઈ ગારડીએ ગઈકાલે રાત્રે ૧૧ કલાકે અંતિમ શ્વાસ લેતા સામાજીક-શૈક્ષણિક ક્ષેત્રે ભારે શોકનું મોજુ ફરી વળ્યુ હતું.
દાનવીર દીપચંદભાઈ ગારડીએ પ્રાથમિક શિક્ષણ પડધરીમાં લીધુ, બાદમાં ભાવનગર અને સુરેન્દ્રનગર, મુંબઈ ખાતે અભ્યાસ કર્યો હતો. અભ્યાસમા ખૂબ તેજસ્વી દીપચંદભાઈ ગારડીએ લંડન ખાતે બેરીસ્ટરની બહુમુખી પદવી પ્રાપ્ત કરી હતી.
ડો. દીપચંદભાઈ ગારડીએ આરોગ્ય, સામાજીક તેમજ શૈક્ષણિક ક્ષેત્રે દરરોજ લાખો રૂપિયાનું દાન કરવાનો કિર્તીમાન તેના નામે સ્થાપ્યો છે. દીપચંદભાઈ ગારડીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા કરોડો રૂપિયાનું દાન સખાવત કર્યુ છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા દાનવીર દીપચંદભાઈ ગારડીએ ડી'લીટની પદવી એનાયત કરવામાં આવી છે.
વઢવાણના અમારા પ્રતિનિધિ ફઝલ ચૌહાણનો અહેવાલ જણાવે છે કે, વઢવાણના જૈન દાનવીર અને હાલના મુંબઈ ખાતે વસવાટ કરતા જૈન આગેવાન અને મોટા દાનવીર એવા દીપચંદભાઈ ગારડીનું અવસાન મુંબઈ ખાતે ગત રાત્રીના ૧૨ વાગ્યે થયેલ હતું.
ત્યારે વઢવાણ વતની હોવાના નાતે વઢવાણ ખાતે અનેક મોટી સંસ્થાઓમાં દાન આપી સારી એવી નામના પામેલા આ જૈન આગેવાન દીપચંદભાઈ ગારડી શિક્ષણ સંસ્થાઓમાં પણ ઝાલાવાડના મોટામા મોટું યોગદાન દીપચંદભાઈ ગારડીનું સમાયેલુ રહ્યુ છે. ખાસ કરીને દીપચંદભાઈ ગારડી મુંબઈથી અવારનવાર માંડવરાયજીના દર્શનાર્થે મુળી ખાતે આવતા હતા આગેવાનને પણ મળતા હતા ત્યારે ઝાલાવાડમાં માત્ર એક જ વર્ષના ટૂંકા સમયગાળામાં પ્રથમ સી.યુ. શાહ અને દીપચંદભાઈ બે દાનવીરો ઝાલાવાડે ગુમાવવાથી મોટી ખોટ પડી છે અને ઝાલાવાડ સહિતના અનેક ગામોમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે. સુરેન્દ્રનગરના પૂર્વ ધારાસભ્ય ધનરાજભાઈ કેલા સાથે દાનવીર દીપચંદભાઈ ગારડીનો અનેરો લગાવ હતો.
ઝાલાવડના ભામાશા તરીકેનું બીરૂદ પામેલા દીપચંદભાઈ ગારડીના અવસાનથી ન પુરાય તેવી મોટી ખોટ પડી છે.
ઝાલાવાડમાથી અનેક સંસ્થાના સંચાલકો આગેવાનો મુંબઈ ખાતે તેમના નિવાસ સ્થાને પહોંચ્યા અને સ્મશાન યાત્રામા જોડાવા માટે રવાના થઈ ગયા છે.
ત્યારે સવારના ૧૧ વાગ્યે તેમના નિવાસ સ્થાન ખાતેથી દીપચંદભાઈ ગારડીની સ્મશાન યાત્રા નિકળનાર છે અને મુંબઈ ખાતે ચંદનવાડી ખાતે આવેલા સ્મશાન ગૃહમાં અગ્નિદાહ અગ્નિસંસ્કાર કરવામાં આવ્યા છે ત્યારે દીપચંદભાઈ ગારડીના અવસાનથી ઝાલાવાડના ન પુરાય એવી મોટી ખોટ પડી છે.
Family Tree of Deepchandbhai Gardi

Post a tribute & share memories
Fond Memories & Remembrance
Related Profiles
Post Condolences
dyptomO
2 years ago
Samkit Shah
9 years ago
RAJESH SHAH
9 years ago
કર્મ અને ધર્મનો મર્મ જાણી સર્વત્ર સુવાસ ફેલાવી ગયા.જીવનભર કષ્ટ સહન કરી પરીશ્રમ કરી સંઘર્ષ કરી શૂન્યમાંથી સર્જન કર્યું તમે,જીવન એવું જીવી ગયા કે જોનારા જોયા કરે,
કર્મ એવા કર્યા કે સૌના હૃદયમાં ગુંજ્યા કરે,
દુઃખથી કદી ડર્યા નહીં, સુખથી કદી છલકાયા નહિ,
વ્યવહાર કદી ચૂક્યા નહીં, ધર્મ કદી ભૂલ્યા નહિ,
સૌના હૃદયમાં વસતા રહ્યા, પરમ કૃપાળુ પરમાત્મા
આપના પુણ્યશાળી આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના
ઈશ્વર તમારા આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના..
કર્મ અને ધર્મનો મર્મ જાણી સર્વત્ર સુવાસ ફેલાવી ગયા.જીવનભર કષ્ટ સહન કરી પરીશ્રમ કરી સંઘર્ષ કરી શૂન્યમાંથી સર્જન કર્યું તમે,જીવન એવું જીવી ગયા કે જોનારા જોયા કરે,
કર્મ એવા કર્યા કે સૌના હૃદયમાં ગુંજ્યા કરે,
દુઃખથી કદી ડર્યા નહીં, સુખથી કદી છલકાયા નહિ,
વ્યવહાર કદી ચૂક્યા નહીં, ધર્મ કદી ભૂલ્યા નહિ,
સૌના હૃદયમાં વસતા રહ્યા, પરમ કૃપાળુ પરમાત્મા
આપના પુણ્યશાળી આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના
ઈશ્વર તમારા આત્માને શાંતિ અર્પે એ જ પ્રાર્થના..
Ramesh Shah
9 years ago
.
9 years ago
દાનવીર દીપચંદભાઈ ગારડીએ પ્રાથમિક શિક્ષણ પડધરીમાં લીધુ, બાદમાં ભાવનગર અને સુરેન્દ્રનગર, મુંબઈ ખાતે અભ્યાસ કર્યો હતો. અભ્યાસમા ખૂબ તેજસ્વી દીપચંદભાઈ ગારડીએ લંડન ખાતે બેરીસ્ટરની બહુમુખી પદવી પ્રાપ્ત કરી હતી.
સુરેન્દ્રનગર જીલ્લાના મૂળી ગામે ભગવાન માંડવરાયદાદાના પરમ ભક્ત અને જેઓ પોતાને માંડવરાયદાદાના મુનીમ તરીકે જ ઓળખાવતા એવા દિપચંદભાઈએ પચાસેક વર્ષ પહેલા રોજના એક હજાર રૂ.ના દાનથી સમાજ સેવા શરૂ કરેલ. ત્યારબાદ રોજના એક લાખ અને છેલ્લા દસેક વર્ષથી રોજના એકાદ કરોડનુ દાન તેઓ ખાસ કરીને શૈક્ષણિક અને મેડીકલ ક્ષેત્રે આપતા.
ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ગુજરાત ઉપરાંત દેશના અન્ય રાજ્યો જેવા કે બિહાર, ઉ.પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ વગેરેના આશરે પંદરસો જેટલા ગામડાઓમાં શાળા તેમજ અનેક ગામડાઓમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાંધવા લાખો રૂપિયાનું યોગદાન આપેલ હતું.
સૌરાષ્ટ્ર યુનિ.ના તમામ ૨૦ ભવનોના નિર્માણ અને નવા બાંધકામ માટે છેલ્લા પંદરેક વર્ષમા ત્રીસેક કરોડનું અનુદાન આપી અને સૌરાષ્ટ્ર યુનિ.ને આધુનિક બનાવવામાં અનન્ય યોગદાન આપેલ હતુ. મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરમાં પણ પોતાના ધર્મપત્નિ રૂક્ષ્મણીબેન ગારડીના નામથી મેડીકલ કોલેજ તેમજ હોસ્પીટલનું નિર્માણ દસેક વર્ષ પહેલા કરેલ. આ મેડીકલ કોલેજ સંચાલીત હોસ્પીટલમાં રોજના આશરે ૨૫૦૦ જેટલા દર્દીઓને વિનામૂલ્યે મેડીકલ સેવા ઉપરાંત દવાઓ, એકસ-રે, સોનોગ્રાફી ફ્રી વિનામૂલ્યે કરી આપવામાં આવે છે તેમજ ફકત રૂપિયા પાંચમા ભોજન પણ આપવામાં આવે છે.
મહારાષ્ટ્ર રાજ્યના સોલાપુર શહેરમાં ગણિકાના અનાથ બાળકો માટે એક વાત્સલ્યધામનું નિર્માણ ગારડી સાહેબ દ્વારા જ કરવામાં આવેલ છે. જ્યાં સમાજમાથી અત્યંતપણે અવગણમા આવેલ આ અનૌરસ કે લાવારીશ બાળકોને રહેવા તેમજ ભણવાનું વિનામૂલ્યે પુરૂ પાડવામા આવે છે. આ વાત્સલ્યધામમા આશરે છસોથી પણ વધારે અનાથ બાળકો પોતાનું ભવિષ્ય ગારડી સારેબના આશિર્વાદ અને યોગદાનથી બનાવી રહેલ છે.
ડો. દીપચંદભાઈ ગારડીએ આરોગ્ય, સામાજીક તેમજ શૈક્ષણિક ક્ષેત્રે દરરોજ લાખો રૂપિયાનું દાન કરવાનો કિર્તીમાન તેઓના નામે સ્થાપ્યો છે. દીપચંદભાઈ ગારડીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા કરોડો રૂપિયાનું દાન સખાવતકરી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા દાનવીર દીપચંદભાઈ ગારડીનેડી'લીટની માનદ પદવી એનાયત કરવામાં આવી હતી.
તેઓશ્રી વઢવાણ પંથકના વતની હોવાના નાતે વઢવાણ ખાતે અનેક મોટી સંસ્થાઓમાં તેમજ શિક્ષણ સંસ્થાઓમાં પણ મોટું યોગદાન દીપચંદભાઈ ગારડીનું સમાયેલુ રહ્યુ છે. ખાસ કરીને દીપચંદભાઈ ગારડી મુંબઈથી અવારનવાર માંડવરાયજીના દર્શનાર્થે મુળી ખાતે આવતા હતા અને સ્થાનિક આગેવાનને પણ મળતા હતા ત્યારે ઝાલાવાડમાં માત્ર એક જ વર્ષના ટૂંકા સમયગાળામાં પ્રથમ સી.યુ. શાહ અને દીપચંદભાઈ બે દાનવીરો ઝાલાવાડે ગુમાવવાથી મોટી ખોટ પડી છે અને ઝાલાવાડ સહિતના અનેક ગામોમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે.
ભામાશા તરીકેનું બીરૂદ પામેલા દીપચંદભાઈ ગારડીના અવસાનથી ન પુરાય તેવી મોટી ખોટ પડી છે. પરમાત્મા સદગતના આત્માને દિવ્ય શાંતિ અર્પે તેવી હાર્દિક પ્રાર્થના...
દાનવીર દીપચંદભાઈ ગારડીએ પ્રાથમિક શિક્ષણ પડધરીમાં લીધુ, બાદમાં ભાવનગર અને સુરેન્દ્રનગર, મુંબઈ ખાતે અભ્યાસ કર્યો હતો. અભ્યાસમા ખૂબ તેજસ્વી દીપચંદભાઈ ગારડીએ લંડન ખાતે બેરીસ્ટરની બહુમુખી પદવી પ્રાપ્ત કરી હતી.
સુરેન્દ્રનગર જીલ્લાના મૂળી ગામે ભગવાન માંડવરાયદાદાના પરમ ભક્ત અને જેઓ પોતાને માંડવરાયદાદાના મુનીમ તરીકે જ ઓળખાવતા એવા દિપચંદભાઈએ પચાસેક વર્ષ પહેલા રોજના એક હજાર રૂ.ના દાનથી સમાજ સેવા શરૂ કરેલ. ત્યારબાદ રોજના એક લાખ અને છેલ્લા દસેક વર્ષથી રોજના એકાદ કરોડનુ દાન તેઓ ખાસ કરીને શૈક્ષણિક અને મેડીકલ ક્ષેત્રે આપતા.
ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ગુજરાત ઉપરાંત દેશના અન્ય રાજ્યો જેવા કે બિહાર, ઉ.પ્રદેશ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ વગેરેના આશરે પંદરસો જેટલા ગામડાઓમાં શાળા તેમજ અનેક ગામડાઓમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બાંધવા લાખો રૂપિયાનું યોગદાન આપેલ હતું.
સૌરાષ્ટ્ર યુનિ.ના તમામ ૨૦ ભવનોના નિર્માણ અને નવા બાંધકામ માટે છેલ્લા પંદરેક વર્ષમા ત્રીસેક કરોડનું અનુદાન આપી અને સૌરાષ્ટ્ર યુનિ.ને આધુનિક બનાવવામાં અનન્ય યોગદાન આપેલ હતુ. મધ્યપ્રદેશના ઉજ્જૈન શહેરમાં પણ પોતાના ધર્મપત્નિ રૂક્ષ્મણીબેન ગારડીના નામથી મેડીકલ કોલેજ તેમજ હોસ્પીટલનું નિર્માણ દસેક વર્ષ પહેલા કરેલ. આ મેડીકલ કોલેજ સંચાલીત હોસ્પીટલમાં રોજના આશરે ૨૫૦૦ જેટલા દર્દીઓને વિનામૂલ્યે મેડીકલ સેવા ઉપરાંત દવાઓ, એકસ-રે, સોનોગ્રાફી ફ્રી વિનામૂલ્યે કરી આપવામાં આવે છે તેમજ ફકત રૂપિયા પાંચમા ભોજન પણ આપવામાં આવે છે.
મહારાષ્ટ્ર રાજ્યના સોલાપુર શહેરમાં ગણિકાના અનાથ બાળકો માટે એક વાત્સલ્યધામનું નિર્માણ ગારડી સાહેબ દ્વારા જ કરવામાં આવેલ છે. જ્યાં સમાજમાથી અત્યંતપણે અવગણમા આવેલ આ અનૌરસ કે લાવારીશ બાળકોને રહેવા તેમજ ભણવાનું વિનામૂલ્યે પુરૂ પાડવામા આવે છે. આ વાત્સલ્યધામમા આશરે છસોથી પણ વધારે અનાથ બાળકો પોતાનું ભવિષ્ય ગારડી સારેબના આશિર્વાદ અને યોગદાનથી બનાવી રહેલ છે.
ડો. દીપચંદભાઈ ગારડીએ આરોગ્ય, સામાજીક તેમજ શૈક્ષણિક ક્ષેત્રે દરરોજ લાખો રૂપિયાનું દાન કરવાનો કિર્તીમાન તેઓના નામે સ્થાપ્યો છે. દીપચંદભાઈ ગારડીએ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમા કરોડો રૂપિયાનું દાન સખાવતકરી હતી. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા દાનવીર દીપચંદભાઈ ગારડીનેડી'લીટની માનદ પદવી એનાયત કરવામાં આવી હતી.
તેઓશ્રી વઢવાણ પંથકના વતની હોવાના નાતે વઢવાણ ખાતે અનેક મોટી સંસ્થાઓમાં તેમજ શિક્ષણ સંસ્થાઓમાં પણ મોટું યોગદાન દીપચંદભાઈ ગારડીનું સમાયેલુ રહ્યુ છે. ખાસ કરીને દીપચંદભાઈ ગારડી મુંબઈથી અવારનવાર માંડવરાયજીના દર્શનાર્થે મુળી ખાતે આવતા હતા અને સ્થાનિક આગેવાનને પણ મળતા હતા ત્યારે ઝાલાવાડમાં માત્ર એક જ વર્ષના ટૂંકા સમયગાળામાં પ્રથમ સી.યુ. શાહ અને દીપચંદભાઈ બે દાનવીરો ઝાલાવાડે ગુમાવવાથી મોટી ખોટ પડી છે અને ઝાલાવાડ સહિતના અનેક ગામોમાં શોકનો માહોલ છવાઈ જવા પામ્યો છે.
ભામાશા તરીકેનું બીરૂદ પામેલા દીપચંદભાઈ ગારડીના અવસાનથી ન પુરાય તેવી મોટી ખોટ પડી છે. પરમાત્મા સદગતના આત્માને દિવ્ય શાંતિ અર્પે તેવી હાર્દિક પ્રાર્થના...