Born
August 07th, 1951
Passed Away
January 16th, 2006
Occupation
Service
Spouse
Prabhaben Gol
Religion
Hindu
Caste
Patel
Native
Derdi Kumbhaji
City
Rajkot
State
Gujarat
Country
India
पिता ही धर्म है, पिता ही स्वर्ग है
पिता ही परम तप है
पितृभक्ति हर भक्ति में श्रेष्ठ है
पितृभक्ति देवताओ को भी प्रिय है
शास्त्र में कहा गया यह विधान हमारे जीवन का मर्म है
स्वर्ग की प्राप्ति धर्म से होती है, तप से होती है
परंतु हमारे लिए हमारी पितृभक्ति ही हर भक्ति में श्रेष्ठ है
Shradhanjali By
Rajni Gol & Family
Biography of Shri Devshibhai Kurjibhai Gol
આપની નિષ્ઠાને શબ્દો દ્વારા ઉજાગર કરી શકાય તેમ નથી.
પારદર્શી, પ્રામાણિક, અજાતશત્રુ........
ડી. કે. ગોલ
સામાન્ય રીતે મોટાભાગના લોકો જાવનના સંકટોથી બચવાના પ્રયત્ન કરતા હોય છે. પરંતુ બહુ ઓછા લોકો એવા હોય છે જેઓ સંકટોનો સામનો કરીને સફળતાનાં ઉપાયો શોધતા હોય છે. ડી. કે. ગોલના નામથી જાણીતા દેવશીભાઇ કુરજીભાઈ ગોલ આમાંના એક વ્યક્તિ હતા. ગોંડલ તાલુકાના દેરડી (કુંભાજી) ગામે તા. 7/8/1951ના રોજ એક સામાન્ય ખેડૂત કુરજીભાઈ તથા કાશીબેનના પરિવારમાં તેમનો જન્મ થયો હતો. જીવનના ટાંચા સાધનોનો ઉપયોગ કરીને તેમણે મોટા લક્ષ્યાંકો સિદ્ધ કર્યા હતા. પિતા કુરજીભાઈના નિધન બાદ પાંચ બહેનો તથા બે ભાઈઓના પરિવારમાં સૌથી મોટા ભાઈ તરીકે પરિવારની જવાબદારી નિભાવી.
દેવશીભાઈએ પાર્થમિક શિક્ષણ તથા 11 ધોરણ સુધીનું માધ્યમિક શિક્ષણ (ઓલ્ડ S.S.C) પોતાના વતન દેરડી ગામમાં જ પ્રાપ્ત કર્યુ હતું. ત્યારબાદ પ્રાથમિક શિક્ષક થવા માટેનો બે વર્ષનો P.T.Cનો અભ્યાસક્રમ ભાવનગર ખાતે સંપન્ન કર્યો. આટલા અભ્યાસ પછી થોડા સમય માટે સુરત ખાતે હીરાના વ્યવસાયમાં કામ કર્યું.
સહકારી ક્ષેત્રના ભીષ્મ પિતામહ અને ગુજરાતના પૂર્વ આરોગ્ય મંત્રી વલ્લભભાઈ પટેલે રાજકોટમાં સ્થાપેલા પી વી પટેલ ટ્રસ્ટ સંચાલિત શ્રીમતી એમ.ટી. ધમસાણિયા કોલેજ અને શ્રીમતી એસ.એન. કણસાગરા કોલેજનો પ્રારંભ કર્યો હતો. ગોંડલ તાલુકાના આગેવાન સ્વ. નાથાભાઈ નરશીભાઈ ગોલના સહયોગથી કોલેજના સ્થાપના કાળથી જ એટલેકે જુન 1974માં દેવશીભાઇ ગોલ ધમસાણિયા કોલેજમાં જોડાયા. આ સાથેજ તેઓ રાજકોટમાં સ્થાયી થયા. આજે રાજકોટમાં દેરડી ગામના અનેક પરિવારો વસવાટ કરે છે, પરંતુ તે સમયે દેરડીમાંથી રાજકોટ આવનાર જૂજ પરિવારો હતા. તેમનો સ્વભાવ પાર દુઃખ ભંજન જેવો હોવાથી સામાજીક, વ્યવસાયિક, શૈક્ષણિક, આરોગ્યલક્ષી કે અન્ય કોઈપણ કામ માટે દેરડીથી રાજકોટ આવનાર કોઈપણ વ્યક્તિની સાથે તેઓ ખડે પગે રહેતા.
સરદારપુર (તા. ભેસાણ) ગામના જીવરાજભાઈ કાથરોટીયાના પુત્રી પ્રભાબેન સાથે સન 1976માં તેઓ લગ્નગ્રંથિથી જોડાયા. પ્રભાબેન પણ ખુબજ મળતાવડા, સંનિષ્ઠ અને કઠોર પરિશ્રમી સ્વભાવના છે. પતિના જીવન સંઘર્ષમાં અડગ બનીને હંમેશા સાથ નિભાવ્યો છે.પરિવારના વિકાસમાં પ્રભાબેનનો પણ અપ્રતિમ ફાળો છે.
ધમસાણિયા કોલેજના પ્રિન્સિપાલ શ્રી કે.એમ.પટેલ તથા ભાલોડિયા કોલેજના પ્રિન્સિપાલ શ્રી આર.એમ.ફૂલેત્રાના માર્ગદર્શન અને પ્રોત્સાહનથી તેમણે પોતાની શૈક્ષણિક કારકિર્દી આગળ વધારી હતી. ચાલુ નોકરીએજ તેમણે D.C.S, M.com નો અભ્યાસ પૂર્ણ કરી ઉચ્ચ શિક્ષણની ડિગ્રીઓ પ્રાપ્ત કરી લીધી. કામની ધગશ અને આગળ વધવાની તમન્નાથી તેઓ સફળ થયા.
આ સમયગાળામાંજ ભાયાવદરના વાતની દિનેશભાઇ ઘોડાસરાએ કોટેચા ચોક ખાતે "સત્ય વિજય ફરસાણ માર્ટ" ની શરૂઆત કરી. ત્યારથીજ બંને વચ્ચે થયેલો પરિચય અંગત પારિવારિક મિત્રતામાં પરિણમ્યો. કોલેજની નોકરીનો સમય પૂરો થયા બાદ બપોર પછીનો સમય તેઓએ મિત્રતાના નાતે દિનેશભાઈના વ્યવસાયને આપ્યો. પોતાની ફરજ ઉપરાંત એક ઓલ-રાઉન્ડરની જેમ કોલેજની નાની મોટી તમામ કામગીરીમાં ઉપયોગી થતાં, આ ઉપરાંત સ્ટાફના પારિવારિક પ્રસંગોની જવાબદારી પણ પોતાની સમજીને ઉપાડી લેતા, આવા પરગજુ સ્વભાવના દેવશીભાઇ જયારે કોઈપણ સાગા-સંબંધીના ઘરે જતા ત્યારે બાળકો માટે નાસ્તો લઇ જવાનું આજીવન ક્યારેય ચુકતા નહીં.
તેમના જીવનમાં હકારાત્મક વલણના કારણે જ તેમનો મિત્ર વર્ગ બહોળી સંખ્યામાં હતો. કોલેજમાં મહેશભાઈ કોટડીયા, કાન્તિભાઈ ભલોડિયા, જ્યોતીન્દ્રભાઈ પટેલ, શેરસીયાભાઈ, મહાદેવભાઈ, પ્રેમજીભાઈ, મણિભાઈ, કણસાગરા કોલેજના રમેશભાઈ વાછાણી વગેરે તેમના ખુબજ નજીકના સાથીદાર અંતરંગ મિત્રો હતા. સૌરાષ્ટ્ર એજ્યુકેશન ટ્રસ્ટની ત્રણેય કોલેજના પ્રાધ્યાપકો/ તમામ કર્મચારીઓ તથા વિદ્યાર્થીઓમાં પોતાના સરળ, વિનમ્ર, હસમુખા, મળતાવળા તેમજ સેવાભાવી સ્વભાવને કારણે અપ્રતિમ લોકચાહના ધરાવતા હતાં. પોતે કોલેજની વહીવટી તેમજ નાણાંકીય બાબતો સાંભળતા હતા. પોતાના પારદર્શી અને પ્રામાણિક વહીવટને કારણે હંમેશા અણીશુદ્ધ રહ્યા. તેમને ખ્યાલ આવે કે અમુક વિદ્યાર્થીઓ આર્થિક રીતે નબળા છે અને પૈસાના અભાવે અભ્યાસ અટકી જાય તેમ છે તો તેઓને કોલેજની ફી ભરવામાં પણ મદદરૂપ થતા. આ સેવાભાવ અને બિનવિવાદાસ્પદ સ્વભાવને કારણે તેમનું વ્યક્તિત્વ મુઠી ઉંચેરું બની ગયું હતું. જીવનના અંતિમ ક્ષણોમાં પણ કોઈનો એક પણ રૂપિયો ઉધાર ન રહે તેની સતત ચિંતા કરતા હતા.
દ્રઢ મનોબળ, કઠોર પરિશ્રમ, સંઘર્ષ, પ્રામાણિકતા, નમ્રતા અને હકારાત્મક સ્વભાવને કારણે તેમનું જીવન અજાતશત્રુ સમાન બની રહ્યું હતું. તેઓ અનેક મુશ્કેલીઓનો સામનો કરીને પણ જીવનને સફળ અને સાર્થક બનાવી શક્યા હતા. તા. 16/1/2006 ના રોજ બિમારી સબબ અવસાન થતા શ્રી દેવશીભાઈએ આપણી વચ્ચેથી કાયમી વિદાય લઇ અનંતની વાટ પક્ડી લીધી। પરંતુ સાગા-સંબંધીઓ, સ્નેહીઓ તથા મિત્રોના માનસપટ પર તેમની છબી એમિટ રીતે અંકિત થયેલી છે., કદાચ આજ તેમના જીવનની સાર્થકતા છે.
દેવશીભાઇ હર્યાભર્યા પરિવારમાં તેમના પત્ની પ્રભાબેન, પીટર રજનીભાઇ, પુત્રવધુ દીપાબેન અને બે પુત્રીઓ સોનલબેન, રીનાબેન તથા નાનાભાઈ વિઠ્ઠલભાઈનો પરિવાર તથા પિતરાઈ ભાઈઓ સ્વ. બાબુભાઇ, બચુભાઈ, માવજીભાઈ, જયંતીભાઈ, મધુભાઈ, ડો. કાંતિભાઈ તથા બટુકભાઈના પરિવારજનો સામેલ છે.
Family Tree of Shri Devshibhai Kurjibhai Gol
Videos of Shri Devshibhai Kurjibhai Gol
No videos
Post Condolences