Born
March 08th, 1943
Passed Away
January 15th, 2025
Occupation
Educator
Spouse
Surajben Gol
Religion
Hindu
Caste
Patel
Subcaste
Chaudhary Uplana
Native
Vadgam
City
Vadgam
State
Gujarat
Country
India
पिता ही धर्म है, पिता ही स्वर्ग है
पिता ही परम तप है
पितृभक्ति हर भक्ति में श्रेष्ठ है
पितृभक्ति देवताओ को भी प्रिय है
शास्त्र में कहा गया यह विधान हमारे जीवन का मर्म है
स्वर्ग की प्राप्ति धर्म से होती है, तप से होती है
परंतु हमारे लिए हमारी पितृभक्ति ही हर भक्ति में श्रेष्ठ है
Biography of Shri Laxmanbhai Shamlabhai Uplana
બનાસ ડેરીના આધ્યસ્થાપક ગલબાકાકા ના વચેટ જમાઈ લક્ષ્મણભાઈ ઉપલાણા અંતિમ યાત્રા પર સિધાવ્યા છે. ભગવાન એમની આત્માને શાંતિ અર્પે અને પરિવારજનોને આ દુખ સહન કરવાની શક્તિ આપે.
તેઓ પૂર્વ આચાર્ય તરીકે PTC કોલેજ, ચિત્રાસણી; શ્રી સી.જે. કોઠારી હાઈસ્કૂલ, ચિત્રાસણી; અને આદર્શ હાઈસ્કૂલ, પાલનપુરમાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું હતું.
લક્ષ્મણભાઈ પૂર્વ નિયામક તરીકે આદર્શ સંકુલ, વડગામના વિકાસ માટે પણ સમર્પિત રહ્યા હતા અને બનાસકાંઠા જિલ્લાના સ્કાઉટ પ્રમુખ તરીકે શ્રેષ્ઠ સેવાઓ આપી હતી.
તે ઉપરાંત, વડગામ હાઈસ્કૂલની સ્થાપનામાં અને વિકાસમાં તેમણે પોતાના સમકાલીન મિત્રો તથા વડીલો સાથે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી.
તેઓ વડગામ.કોમ ફોરમના પ્રણેતા નિતીનભાઈ અને મેહુલભાઈ (પ્રોફેસર, એન્જિનિયરિંગ કોલેજ, પાટણ) ના પિતાશ્રી હતા.
“ૐ શાંતિ”
Family Tree of Shri Laxmanbhai Shamlabhai Uplana
Spouse
Surajben Laxmanbhai Gol
Children
Nitin Laxmanbhai Patel
Post a tribute & share memories
Fond Memories & Remembrance
Related Profiles
Post Condolences
Profile Home
Biography
Family
Tree
Photo
Album
Video







































Nitin
6 days ago
બચપણથી સંઘર્ષમય જીવનના સાક્ષી પિતાશ્રીના જીવનમા જવાબદારીઓનો દોર સતત વધતો રહ્યો છતાં એને પુરી નિષ્ઠા, પ્રમાણિકતા અને સ્નેહપૂર્વક નિભાવતા રહ્યા. પરિસ્થિતિઓ સુખદ હોય કે દુઃખદ એમને સમભાવે જોતા રહ્યા. એમના જીવનનું ઉત્તમ પાસુ એમની કાર્ય પ્રત્યેની નિષ્ઠા, પ્રામાણિકતા , નિયમિતતા અને દરેક પરિસ્થિતિ કે વ્યક્તિ પ્રત્યેની ભાવપૂર્ણ સમદ્રષ્ટિ ગણી શકાય.
અમારા પરિવારને પિતાજી સાથે જીવનનો મોટોભાગ ભરપૂર જીવવા મળ્યુ એ મોટુ આશ્વાસન છે. પિતાશ્રી જીવનભર સાદગી, કરુણા, પ્રેમના ઉપાસક રહ્યા તેઓશ્રી પોતાના માટે ઓછું અન્ય માટે વધુ જીવ્યા એવું ચોક્કસપણે કહી શકાય. સમાજના દરેક વર્ગ વચ્ચે રહેવાનું, કામ કરવાનું થયું જેનાથી તેઓશ્રીનો જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ વધુ સ્પષ્ટ થતો ગયો અને એના થકી તેઓશ્રી જીવનના અંત સુધી સંતુલિત , સકારાત્મક અને સ્વસ્થ જીવન ઉત્તમ રીતે જીવી શક્યા. તેઓશ્રીનો હંમેશા આગ્રહ રહેતો કોઈના વિશે નકારાત્મક વિચારસરણી, ટીકા ટિપ્પણી કે કોઈ પણ વ્યક્તિ - સમાજની નિંદા - કુથલી કરવી નહી. સૌની સાથે હળીમળીને રહેવું.
જીવનની શરૂઆતમાં ખેતરમાં ભારા ઉપાડવાનો બોજ તેમજ ત્યારબાદ પરિવાર-સમાજનો ભાર ઉપાડવાની ફરજ પણ પિતાશ્રીએ સહજતાથી નીભાવી જીવનને સાચા અર્થમાં સમૃદ્ધ કર્યું. જીવનની શરૂઆતમા અભાવો વચ્ચે તેમજ પોતાના સમગ્ર જીવન દરમિયાન વ્યક્તિગત , પારિવારિક, સામાજિક, વ્યવસાયિક જીવનમાં સમાધાનકારી વલણ અપનાવતા રહી અડચણોને પાર કરી નિસ્વાર્થ સેવાભાવ સાથે જીવનને પ્રકાશિત કરતાં રહ્યાં. પોતે અગવડો વેઠી અમને સગવડો આપતા ગયા
84 વર્ષ સુધી અમારા પિતાશ્રી લક્ષ્મણભાઈ શામળાભાઈ ઉપલાણા સંયુક્ત કુટુંબમાં તંદુરસ્ત જીવન જીવ્યા. નિયમિતતા અને ચોકસાઈ એમના આજીવન ગુણ રહ્યા. અમારા પિતા સ્વ. શ્રી લક્ષ્મણભાઈ શામળભાઈ ઉપલાણાએ પોતાનું સમગ્ર જીવન પોતાના માટે ઓછું અન્ય માટે વધુ જીવ્યા તે પછી સમાજ હોય , પરિવાર હોય, સ્નેહીજનો હોય કે પછી પ્રકૃતિ ( અસ્તિત્વ) હોય. હંમેશા એમનો ભાવ સૌનું ભલું ઈચ્છતા સ્નેહપૂર્ણ , લાગણીસભર અને નિસ્વાર્થ રહ્યો છે.
પિતાશ્રીના અવસાનને બે મહિના બાદ પ્રપૌત્ર નો જન્મ થયો, જે થોડા માટે પિતાશ્રીનો પ્રેમ પામવાનો ચુકી ગયો એનો અફસોસ જીવનભર રહેશે. આપના પ્રપૌત્ર અગસ્ત્ય હવે ત્રણ મહિનાનો થયો છે અને સ્વસ્થ છે. આપે જે સામાજિક , પારિવારિક જવાબદારીઓ જીવનના અંત સુધી નિભાવી એ હવે અમારા શીરે આવી છે એટલે હવે અમને સમજાય છે કે આપની હાજરી અમારા માટે બેશક કેટલી કિંમતી હતી. છતાં જીવન છે તો સાથે મૃત્યુ પણ છે એ સનાતન સત્ય ને સમજી જીવન પ્રવાહમા અમે સૌ આપના આશીર્વાદ થકી મક્કમ ગતિએ આપના સંસ્મરણો થકી હિમંતપૂર્વક આગળ વધી રહ્યા છીએ.
આપે આપને ગમતા સુવાક્યોનુ સંકલન કરી ડાયરીઓના પાનામાં આપના સ્વહસ્તે લખેલ લખાણ અમે વાંચતા રહીએ છે,જે અમને આપ અમારી સાથે હોવાનો હરપળ અહેસાસ કરાવવાની સાથે પ્રેરણા આપતું રહે છે.
શૈક્ષણિક કારકિર્દી દરમિયાન કોઈ વહીવટી વિવાદ હોય તો પિતાશ્રીના સમાધાનકારી વલણના સહજ સ્વભાવને લીધે તેઓએ જે પણ શૈક્ષણિક સંસ્થાઓમાં પોતાની ફરજ નિભાવી ત્યાંના શૈક્ષણિક સ્ટાફમાં એમની લોકચાહના હતી. મારા પિતાશ્રી હંમેશા કોઈનું અહીત ન થાય એ રીતે તેઓ વહીવટી સમસ્યાઓનો ઉકેલ શોધતા. મતભેદ ને મનભેદ સુધી ક્યારેય ન લઈ જતા.
પિતાશ્રી છેલ્લે કાકાસાહેબ કાલેલકર લિખિત પુસ્તક પરમ સખા મૃત્યુ વાંચતા હતા એમા એમણે પુસ્તક વાંચતા વાંચતા પુસ્તકમાં લખેલ કેટલાક ફકરાઓ ઉપર પેન્સિલથી એમના હસ્તે અંડરલાઈન કરી છે એ બતાવે છે કે તેઓ શરીરરૂપી મૃત્યુના સત્યને ને સારી રીતે સમજી અને સ્વિકારી ચુક્યા હતા.
વિશેષમાં એમને દૈનિક ડાયરીમાં હિસાબ - કિતાબ અને વાંચન દરમિયાન ગમતાં સુવાક્યો અને ઉપયોગી માહિતીની નોંધ નિયમિત લખતા રહેવાનો શોખ હતો. આજે પિતાશ્રી સ્વદેહે હયાત નથી એનો ખાલીપો આજીવન રહેવાનો પણ અક્ષરદેહે તો અમારી સાથે તેઓ સ્મરણોમાં આજીવન રહેવાના.
લાઓસ્તેના ત્રણ ખજાના યાદ કરીને નોંધ્યું છે કે......
પહેલો ખજાનો છે પ્રેમ. બીજો છે કોઈ બાબતમાં અતિ ન કરવી અને ત્રીજો ખજાનો છે સંસારમાં પ્રથમ થવાની દોડમાં ન પડવું....
આનંદ અને અંતરની શાંતિ ભોગવે છે એ અંતરજ્ઞાન અર્જિત કરનાર બ્રહ્મસ્વરૂપ થઈ નિર્વાણ (મોક્ષ) પામે છે.
તેઓએ એમની દૈનિક ડાયરીમાં એક સરસ વાક્ય લખેલુ છે કે આનંદસભર ઘર, શાણાં સંતાન, પ્રિયવાદિની ભર્યા, સારા મિત્રો , પવિત્ર ધન, પરસ્પર પ્રેમ, આજ્ઞાકિંત નોકરો , આતિથ્ય, પ્રભુ ભક્તિ , મધુર ભોજન અને સત્સંગ એટલે ધન્ય ગૃહસ્થાશ્રમ
અમારા પિતાશ્રીએ એમની દૈનિક ડાયરીમાં નોંધ્યું છે કે.....
આટલી સુવિધા છતાં જગત દુઃખી કેમ છે ? તેનું એક કારણ વ્યક્તિ પોતે જે રસ અને રુચિ લઈને જન્મે છે, પોતાની ઊંડી અને આધારભૂત ઈચ્છા છે તે પ્રમાણે જીવી શક્તી નથી.
પિતાશ્રીએ પોતાને ગમતું ઓશોનું એક વાક્ય પોતાની દૈનિક ડાયરીમાં નોંધ્યું છે કે....
તુમ યહાં મહેમાન હો, ઈસ પૃથ્વી કો ઔર અધિક સુંદર બનાઓ, અધિક પ્રેમપૂર્ણ, અધિક સુગંધયુકત. ઉન મહેમાનો કે લિયે જો તુમ્હારે બાદ આયેંગે.
આપે લખ્યું છે કે વેદ પુરાણ વાંચ્યા પછીનો જો કોઈ સાર હોય તો પ્રેમ અને કરુણા છે. જો પ્રેમ સમજાઈ જાય છે તો આ જગત સમજાઈ જાય છે.
પિતાશ્રી માટે પરિવાર એ સિમિત શબ્દ ન હતો પણ પરિવાર પ્રત્યેની વિશેષ ભાવના હતી અને એમની પારિવારિક ભાવનાને લીધે તેઓશ્રી જીવનના અંત સુધી પરિવાર સાથે જ તંદુરસ્તમય જીવન જીવ્યા. પિતાશ્રી સાથે અમે સંયુક્ત કુટુંબમાં ઝાઝુ જીવ્યા અને એમના જીવનના અંતિમ સમય સુધી એમની સાથે રહ્યા એનો એમને પરમ સંતોષ હશે. જીવન - મૃત્યુના ફેરાને તેઓ સાચી રીતે સમજ્યા અને એ પ્રમાણે જીવ્યા અને એ જ સમજ સાથે તેઓશ્રીએ અમને દેહ્ત્યાગ પહેલા અંતરના આશિર્વાદ આપી સહજતાથી પોતાનો દેહ છોડી સનાતન સત્યરૂપી અનંત યાત્રાએ ચાલ્યા ગયા.
પિતાશ્રીની અમારા પરિવાર વચ્ચેથી કાયમી વિદાયને લાંબો સમય પસાર થઈ ગયો છે ત્યારે હજુ મન એ સનાતન સત્ય સ્વિકારવા તૈયાર નથી કે પિતાશ્રી સદેહે આ જગતમાં હયાત નથી. જાણે કોઈ અગમ્ય શક્તિ અમને એમની હૂંફ પુરી પાડતી હોય એવો અહેસાસ અવિરત અનુભવાય છે.
તેઓ ભલે આજે અમારી વચ્ચે હયાત નથી પણ એમના કેટલાય સંસ્મરણો સાથે તેઓ અમારી સાથે આજે પણ જીવી રહ્યા હોય એવો અહેસાસ જરૂર અનુભવાય છે.🙏🙏
શૂન્ય માંથી સર્જન કરી સાત્વિક જીવન જીવી જનાર અમારા પિતાશ્રી 2025 ની ઉતરાયણની મધરાતે ૧૨.૦૦ કલાકે અમારા સૌની હાજરી વચ્ચે પોતાનું શરીર છોડી અનંતયાત્રાએ ચાલ્યા ગયા. ૧૫ મી જાન્યુઆરીની સવારે નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલિન થઈ ગયો. હવે સદેહે પિતાશ્રી અમારી વચ્ચે નથી પણ એમના સંસ્મરણો સાથે તેઓ અમારા હ્રદયસ્થ રહેવાની સાથે તસવીરોમાં અમારી સાથે તેઓશ્રીની સુખદ યાદો સચવાયેલી છે. તેઓશ્રીનો આત્મા જ્યાં પણ હશે તે અમને હંમેશા આશિર્વાદ વરસાવતો રહેશે.
મૃત્યુલોકમાં જીવન - મૃત્યુનું ચક્ર એ સનાતન સત્ય છે એનો સ્વિકાર પરમાત્માની સાક્ષીએ કરવો રહ્યો પણ પિતાશ્રીનું ઋણ આજીવન ચુકવાશે નહી એ પણ એટલું જ સત્ય છે.
આપની ખોટ હંમેશા અનુભવાશે. પિતાશ્રીના સંસ્મરણો અમારા માટે આજીવન હ્રદયસ્થ રહેશે. 🙏🙏
ઓમ શાંતિ 🙏
નિતીન પટેલ અને પરિવારજનો (વડગામ)
બચપણથી સંઘર્ષમય જીવનના સાક્ષી પિતાશ્રીના જીવનમા જવાબદારીઓનો દોર સતત વધતો રહ્યો છતાં એને પુરી નિષ્ઠા, પ્રમાણિકતા અને સ્નેહપૂર્વક નિભાવતા રહ્યા. પરિસ્થિતિઓ સુખદ હોય કે દુઃખદ એમને સમભાવે જોતા રહ્યા. એમના જીવનનું ઉત્તમ પાસુ એમની કાર્ય પ્રત્યેની નિષ્ઠા, પ્રામાણિકતા , નિયમિતતા અને દરેક પરિસ્થિતિ કે વ્યક્તિ પ્રત્યેની ભાવપૂર્ણ સમદ્રષ્ટિ ગણી શકાય.
અમારા પરિવારને પિતાજી સાથે જીવનનો મોટોભાગ ભરપૂર જીવવા મળ્યુ એ મોટુ આશ્વાસન છે. પિતાશ્રી જીવનભર સાદગી, કરુણા, પ્રેમના ઉપાસક રહ્યા તેઓશ્રી પોતાના માટે ઓછું અન્ય માટે વધુ જીવ્યા એવું ચોક્કસપણે કહી શકાય. સમાજના દરેક વર્ગ વચ્ચે રહેવાનું, કામ કરવાનું થયું જેનાથી તેઓશ્રીનો જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ વધુ સ્પષ્ટ થતો ગયો અને એના થકી તેઓશ્રી જીવનના અંત સુધી સંતુલિત , સકારાત્મક અને સ્વસ્થ જીવન ઉત્તમ રીતે જીવી શક્યા. તેઓશ્રીનો હંમેશા આગ્રહ રહેતો કોઈના વિશે નકારાત્મક વિચારસરણી, ટીકા ટિપ્પણી કે કોઈ પણ વ્યક્તિ - સમાજની નિંદા - કુથલી કરવી નહી. સૌની સાથે હળીમળીને રહેવું.
જીવનની શરૂઆતમાં ખેતરમાં ભારા ઉપાડવાનો બોજ તેમજ ત્યારબાદ પરિવાર-સમાજનો ભાર ઉપાડવાની ફરજ પણ પિતાશ્રીએ સહજતાથી નીભાવી જીવનને સાચા અર્થમાં સમૃદ્ધ કર્યું. જીવનની શરૂઆતમા અભાવો વચ્ચે તેમજ પોતાના સમગ્ર જીવન દરમિયાન વ્યક્તિગત , પારિવારિક, સામાજિક, વ્યવસાયિક જીવનમાં સમાધાનકારી વલણ અપનાવતા રહી અડચણોને પાર કરી નિસ્વાર્થ સેવાભાવ સાથે જીવનને પ્રકાશિત કરતાં રહ્યાં. પોતે અગવડો વેઠી અમને સગવડો આપતા ગયા
84 વર્ષ સુધી અમારા પિતાશ્રી લક્ષ્મણભાઈ શામળાભાઈ ઉપલાણા સંયુક્ત કુટુંબમાં તંદુરસ્ત જીવન જીવ્યા. નિયમિતતા અને ચોકસાઈ એમના આજીવન ગુણ રહ્યા. અમારા પિતા સ્વ. શ્રી લક્ષ્મણભાઈ શામળભાઈ ઉપલાણાએ પોતાનું સમગ્ર જીવન પોતાના માટે ઓછું અન્ય માટે વધુ જીવ્યા તે પછી સમાજ હોય , પરિવાર હોય, સ્નેહીજનો હોય કે પછી પ્રકૃતિ ( અસ્તિત્વ) હોય. હંમેશા એમનો ભાવ સૌનું ભલું ઈચ્છતા સ્નેહપૂર્ણ , લાગણીસભર અને નિસ્વાર્થ રહ્યો છે.
પિતાશ્રીના અવસાનને બે મહિના બાદ પ્રપૌત્ર નો જન્મ થયો, જે થોડા માટે પિતાશ્રીનો પ્રેમ પામવાનો ચુકી ગયો એનો અફસોસ જીવનભર રહેશે. આપના પ્રપૌત્ર અગસ્ત્ય હવે ત્રણ મહિનાનો થયો છે અને સ્વસ્થ છે. આપે જે સામાજિક , પારિવારિક જવાબદારીઓ જીવનના અંત સુધી નિભાવી એ હવે અમારા શીરે આવી છે એટલે હવે અમને સમજાય છે કે આપની હાજરી અમારા માટે બેશક કેટલી કિંમતી હતી. છતાં જીવન છે તો સાથે મૃત્યુ પણ છે એ સનાતન સત્ય ને સમજી જીવન પ્રવાહમા અમે સૌ આપના આશીર્વાદ થકી મક્કમ ગતિએ આપના સંસ્મરણો થકી હિમંતપૂર્વક આગળ વધી રહ્યા છીએ.
આપે આપને ગમતા સુવાક્યોનુ સંકલન કરી ડાયરીઓના પાનામાં આપના સ્વહસ્તે લખેલ લખાણ અમે વાંચતા રહીએ છે,જે અમને આપ અમારી સાથે હોવાનો હરપળ અહેસાસ કરાવવાની સાથે પ્રેરણા આપતું રહે છે.
શૈક્ષણિક કારકિર્દી દરમિયાન કોઈ વહીવટી વિવાદ હોય તો પિતાશ્રીના સમાધાનકારી વલણના સહજ સ્વભાવને લીધે તેઓએ જે પણ શૈક્ષણિક સંસ્થાઓમાં પોતાની ફરજ નિભાવી ત્યાંના શૈક્ષણિક સ્ટાફમાં એમની લોકચાહના હતી. મારા પિતાશ્રી હંમેશા કોઈનું અહીત ન થાય એ રીતે તેઓ વહીવટી સમસ્યાઓનો ઉકેલ શોધતા. મતભેદ ને મનભેદ સુધી ક્યારેય ન લઈ જતા.
પિતાશ્રી છેલ્લે કાકાસાહેબ કાલેલકર લિખિત પુસ્તક પરમ સખા મૃત્યુ વાંચતા હતા એમા એમણે પુસ્તક વાંચતા વાંચતા પુસ્તકમાં લખેલ કેટલાક ફકરાઓ ઉપર પેન્સિલથી એમના હસ્તે અંડરલાઈન કરી છે એ બતાવે છે કે તેઓ શરીરરૂપી મૃત્યુના સત્યને ને સારી રીતે સમજી અને સ્વિકારી ચુક્યા હતા.
વિશેષમાં એમને દૈનિક ડાયરીમાં હિસાબ - કિતાબ અને વાંચન દરમિયાન ગમતાં સુવાક્યો અને ઉપયોગી માહિતીની નોંધ નિયમિત લખતા રહેવાનો શોખ હતો. આજે પિતાશ્રી સ્વદેહે હયાત નથી એનો ખાલીપો આજીવન રહેવાનો પણ અક્ષરદેહે તો અમારી સાથે તેઓ સ્મરણોમાં આજીવન રહેવાના.
લાઓસ્તેના ત્રણ ખજાના યાદ કરીને નોંધ્યું છે કે......
પહેલો ખજાનો છે પ્રેમ. બીજો છે કોઈ બાબતમાં અતિ ન કરવી અને ત્રીજો ખજાનો છે સંસારમાં પ્રથમ થવાની દોડમાં ન પડવું....
આનંદ અને અંતરની શાંતિ ભોગવે છે એ અંતરજ્ઞાન અર્જિત કરનાર બ્રહ્મસ્વરૂપ થઈ નિર્વાણ (મોક્ષ) પામે છે.
તેઓએ એમની દૈનિક ડાયરીમાં એક સરસ વાક્ય લખેલુ છે કે આનંદસભર ઘર, શાણાં સંતાન, પ્રિયવાદિની ભર્યા, સારા મિત્રો , પવિત્ર ધન, પરસ્પર પ્રેમ, આજ્ઞાકિંત નોકરો , આતિથ્ય, પ્રભુ ભક્તિ , મધુર ભોજન અને સત્સંગ એટલે ધન્ય ગૃહસ્થાશ્રમ
અમારા પિતાશ્રીએ એમની દૈનિક ડાયરીમાં નોંધ્યું છે કે.....
આટલી સુવિધા છતાં જગત દુઃખી કેમ છે ? તેનું એક કારણ વ્યક્તિ પોતે જે રસ અને રુચિ લઈને જન્મે છે, પોતાની ઊંડી અને આધારભૂત ઈચ્છા છે તે પ્રમાણે જીવી શક્તી નથી.
પિતાશ્રીએ પોતાને ગમતું ઓશોનું એક વાક્ય પોતાની દૈનિક ડાયરીમાં નોંધ્યું છે કે....
તુમ યહાં મહેમાન હો, ઈસ પૃથ્વી કો ઔર અધિક સુંદર બનાઓ, અધિક પ્રેમપૂર્ણ, અધિક સુગંધયુકત. ઉન મહેમાનો કે લિયે જો તુમ્હારે બાદ આયેંગે.
આપે લખ્યું છે કે વેદ પુરાણ વાંચ્યા પછીનો જો કોઈ સાર હોય તો પ્રેમ અને કરુણા છે. જો પ્રેમ સમજાઈ જાય છે તો આ જગત સમજાઈ જાય છે.
પિતાશ્રી માટે પરિવાર એ સિમિત શબ્દ ન હતો પણ પરિવાર પ્રત્યેની વિશેષ ભાવના હતી અને એમની પારિવારિક ભાવનાને લીધે તેઓશ્રી જીવનના અંત સુધી પરિવાર સાથે જ તંદુરસ્તમય જીવન જીવ્યા. પિતાશ્રી સાથે અમે સંયુક્ત કુટુંબમાં ઝાઝુ જીવ્યા અને એમના જીવનના અંતિમ સમય સુધી એમની સાથે રહ્યા એનો એમને પરમ સંતોષ હશે. જીવન - મૃત્યુના ફેરાને તેઓ સાચી રીતે સમજ્યા અને એ પ્રમાણે જીવ્યા અને એ જ સમજ સાથે તેઓશ્રીએ અમને દેહ્ત્યાગ પહેલા અંતરના આશિર્વાદ આપી સહજતાથી પોતાનો દેહ છોડી સનાતન સત્યરૂપી અનંત યાત્રાએ ચાલ્યા ગયા.
પિતાશ્રીની અમારા પરિવાર વચ્ચેથી કાયમી વિદાયને લાંબો સમય પસાર થઈ ગયો છે ત્યારે હજુ મન એ સનાતન સત્ય સ્વિકારવા તૈયાર નથી કે પિતાશ્રી સદેહે આ જગતમાં હયાત નથી. જાણે કોઈ અગમ્ય શક્તિ અમને એમની હૂંફ પુરી પાડતી હોય એવો અહેસાસ અવિરત અનુભવાય છે.
તેઓ ભલે આજે અમારી વચ્ચે હયાત નથી પણ એમના કેટલાય સંસ્મરણો સાથે તેઓ અમારી સાથે આજે પણ જીવી રહ્યા હોય એવો અહેસાસ જરૂર અનુભવાય છે.🙏🙏
શૂન્ય માંથી સર્જન કરી સાત્વિક જીવન જીવી જનાર અમારા પિતાશ્રી 2025 ની ઉતરાયણની મધરાતે ૧૨.૦૦ કલાકે અમારા સૌની હાજરી વચ્ચે પોતાનું શરીર છોડી અનંતયાત્રાએ ચાલ્યા ગયા. ૧૫ મી જાન્યુઆરીની સવારે નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલિન થઈ ગયો. હવે સદેહે પિતાશ્રી અમારી વચ્ચે નથી પણ એમના સંસ્મરણો સાથે તેઓ અમારા હ્રદયસ્થ રહેવાની સાથે તસવીરોમાં અમારી સાથે તેઓશ્રીની સુખદ યાદો સચવાયેલી છે. તેઓશ્રીનો આત્મા જ્યાં પણ હશે તે અમને હંમેશા આશિર્વાદ વરસાવતો રહેશે.
મૃત્યુલોકમાં જીવન - મૃત્યુનું ચક્ર એ સનાતન સત્ય છે એનો સ્વિકાર પરમાત્માની સાક્ષીએ કરવો રહ્યો પણ પિતાશ્રીનું ઋણ આજીવન ચુકવાશે નહી એ પણ એટલું જ સત્ય છે.
આપની ખોટ હંમેશા અનુભવાશે. પિતાશ્રીના સંસ્મરણો અમારા માટે આજીવન હ્રદયસ્થ રહેશે. 🙏🙏
ઓમ શાંતિ 🙏
નિતીન પટેલ અને પરિવારજનો (વડગામ)
Nitin
6 days ago
બચપણથી સંઘર્ષમય જીવનના સાક્ષી પિતાશ્રીના જીવનમા જવાબદારીઓનો દોર સતત વધતો રહ્યો છતાં એને પુરી નિષ્ઠા, પ્રમાણિકતા અને સ્નેહપૂર્વક નિભાવતા રહ્યા. પરિસ્થિતિઓ સુખદ હોય કે દુઃખદ એમને સમભાવે જોતા રહ્યા. એમના જીવનનું ઉત્તમ પાસુ એમની કાર્ય પ્રત્યેની નિષ્ઠા, પ્રામાણિકતા , નિયમિતતા અને દરેક પરિસ્થિતિ કે વ્યક્તિ પ્રત્યેની ભાવપૂર્ણ સમદ્રષ્ટિ ગણી શકાય.
અમારા પરિવારને પિતાજી સાથે જીવનનો મોટોભાગ ભરપૂર જીવવા મળ્યુ એ મોટુ આશ્વાસન છે. પિતાશ્રી જીવનભર સાદગી, કરુણા, પ્રેમના ઉપાસક રહ્યા તેઓશ્રી પોતાના માટે ઓછું અન્ય માટે વધુ જીવ્યા એવું ચોક્કસપણે કહી શકાય. સમાજના દરેક વર્ગ વચ્ચે રહેવાનું, કામ કરવાનું થયું જેનાથી તેઓશ્રીનો જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ વધુ સ્પષ્ટ થતો ગયો અને એના થકી તેઓશ્રી જીવનના અંત સુધી સંતુલિત , સકારાત્મક અને સ્વસ્થ જીવન ઉત્તમ રીતે જીવી શક્યા. તેઓશ્રીનો હંમેશા આગ્રહ રહેતો કોઈના વિશે નકારાત્મક વિચારસરણી, ટીકા ટિપ્પણી કે કોઈ પણ વ્યક્તિ - સમાજની નિંદા - કુથલી કરવી નહી. સૌની સાથે હળીમળીને રહેવું.
જીવનની શરૂઆતમાં ખેતરમાં ભારા ઉપાડવાનો બોજ તેમજ ત્યારબાદ પરિવાર-સમાજનો ભાર ઉપાડવાની ફરજ પણ પિતાશ્રીએ સહજતાથી નીભાવી જીવનને સાચા અર્થમાં સમૃદ્ધ કર્યું. જીવનની શરૂઆતમા અભાવો વચ્ચે તેમજ પોતાના સમગ્ર જીવન દરમિયાન વ્યક્તિગત , પારિવારિક, સામાજિક, વ્યવસાયિક જીવનમાં સમાધાનકારી વલણ અપનાવતા રહી અડચણોને પાર કરી નિસ્વાર્થ સેવાભાવ સાથે જીવનને પ્રકાશિત કરતાં રહ્યાં. પોતે અગવડો વેઠી અમને સગવડો આપતા ગયા
84 વર્ષ સુધી અમારા પિતાશ્રી લક્ષ્મણભાઈ શામળાભાઈ ઉપલાણા સંયુક્ત કુટુંબમાં તંદુરસ્ત જીવન જીવ્યા. નિયમિતતા અને ચોકસાઈ એમના આજીવન ગુણ રહ્યા. અમારા પિતા સ્વ. શ્રી લક્ષ્મણભાઈ શામળભાઈ ઉપલાણાએ પોતાનું સમગ્ર જીવન પોતાના માટે ઓછું અન્ય માટે વધુ જીવ્યા તે પછી સમાજ હોય , પરિવાર હોય, સ્નેહીજનો હોય કે પછી પ્રકૃતિ ( અસ્તિત્વ) હોય. હંમેશા એમનો ભાવ સૌનું ભલું ઈચ્છતા સ્નેહપૂર્ણ , લાગણીસભર અને નિસ્વાર્થ રહ્યો છે.
પિતાશ્રીના અવસાનને બે મહિના બાદ પ્રપૌત્ર નો જન્મ થયો, જે થોડા માટે પિતાશ્રીનો પ્રેમ પામવાનો ચુકી ગયો એનો અફસોસ જીવનભર રહેશે. આપના પ્રપૌત્ર અગસ્ત્ય હવે ત્રણ મહિનાનો થયો છે અને સ્વસ્થ છે. આપે જે સામાજિક , પારિવારિક જવાબદારીઓ જીવનના અંત સુધી નિભાવી એ હવે અમારા શીરે આવી છે એટલે હવે અમને સમજાય છે કે આપની હાજરી અમારા માટે બેશક કેટલી કિંમતી હતી. છતાં જીવન છે તો સાથે મૃત્યુ પણ છે એ સનાતન સત્ય ને સમજી જીવન પ્રવાહમા અમે સૌ આપના આશીર્વાદ થકી મક્કમ ગતિએ આપના સંસ્મરણો થકી હિમંતપૂર્વક આગળ વધી રહ્યા છીએ.
આપે આપને ગમતા સુવાક્યોનુ સંકલન કરી ડાયરીઓના પાનામાં આપના સ્વહસ્તે લખેલ લખાણ અમે વાંચતા રહીએ છે,જે અમને આપ અમારી સાથે હોવાનો હરપળ અહેસાસ કરાવવાની સાથે પ્રેરણા આપતું રહે છે.
શૈક્ષણિક કારકિર્દી દરમિયાન કોઈ વહીવટી વિવાદ હોય તો પિતાશ્રીના સમાધાનકારી વલણના સહજ સ્વભાવને લીધે તેઓએ જે પણ શૈક્ષણિક સંસ્થાઓમાં પોતાની ફરજ નિભાવી ત્યાંના શૈક્ષણિક સ્ટાફમાં એમની લોકચાહના હતી. મારા પિતાશ્રી હંમેશા કોઈનું અહીત ન થાય એ રીતે તેઓ વહીવટી સમસ્યાઓનો ઉકેલ શોધતા. મતભેદ ને મનભેદ સુધી ક્યારેય ન લઈ જતા.
પિતાશ્રી છેલ્લે કાકાસાહેબ કાલેલકર લિખિત પુસ્તક પરમ સખા મૃત્યુ વાંચતા હતા એમા એમણે પુસ્તક વાંચતા વાંચતા પુસ્તકમાં લખેલ કેટલાક ફકરાઓ ઉપર પેન્સિલથી એમના હસ્તે અંડરલાઈન કરી છે એ બતાવે છે કે તેઓ શરીરરૂપી મૃત્યુના સત્યને ને સારી રીતે સમજી અને સ્વિકારી ચુક્યા હતા.
વિશેષમાં એમને દૈનિક ડાયરીમાં હિસાબ - કિતાબ અને વાંચન દરમિયાન ગમતાં સુવાક્યો અને ઉપયોગી માહિતીની નોંધ નિયમિત લખતા રહેવાનો શોખ હતો. આજે પિતાશ્રી સ્વદેહે હયાત નથી એનો ખાલીપો આજીવન રહેવાનો પણ અક્ષરદેહે તો અમારી સાથે તેઓ સ્મરણોમાં આજીવન રહેવાના.
લાઓસ્તેના ત્રણ ખજાના યાદ કરીને નોંધ્યું છે કે......
પહેલો ખજાનો છે પ્રેમ. બીજો છે કોઈ બાબતમાં અતિ ન કરવી અને ત્રીજો ખજાનો છે સંસારમાં પ્રથમ થવાની દોડમાં ન પડવું....
આનંદ અને અંતરની શાંતિ ભોગવે છે એ અંતરજ્ઞાન અર્જિત કરનાર બ્રહ્મસ્વરૂપ થઈ નિર્વાણ (મોક્ષ) પામે છે.
તેઓએ એમની દૈનિક ડાયરીમાં એક સરસ વાક્ય લખેલુ છે કે આનંદસભર ઘર, શાણાં સંતાન, પ્રિયવાદિની ભર્યા, સારા મિત્રો , પવિત્ર ધન, પરસ્પર પ્રેમ, આજ્ઞાકિંત નોકરો , આતિથ્ય, પ્રભુ ભક્તિ , મધુર ભોજન અને સત્સંગ એટલે ધન્ય ગૃહસ્થાશ્રમ
અમારા પિતાશ્રીએ એમની દૈનિક ડાયરીમાં નોંધ્યું છે કે.....
આટલી સુવિધા છતાં જગત દુઃખી કેમ છે ? તેનું એક કારણ વ્યક્તિ પોતે જે રસ અને રુચિ લઈને જન્મે છે, પોતાની ઊંડી અને આધારભૂત ઈચ્છા છે તે પ્રમાણે જીવી શક્તી નથી.
પિતાશ્રીએ પોતાને ગમતું ઓશોનું એક વાક્ય પોતાની દૈનિક ડાયરીમાં નોંધ્યું છે કે....
તુમ યહાં મહેમાન હો, ઈસ પૃથ્વી કો ઔર અધિક સુંદર બનાઓ, અધિક પ્રેમપૂર્ણ, અધિક સુગંધયુકત. ઉન મહેમાનો કે લિયે જો તુમ્હારે બાદ આયેંગે.
આપે લખ્યું છે કે વેદ પુરાણ વાંચ્યા પછીનો જો કોઈ સાર હોય તો પ્રેમ અને કરુણા છે. જો પ્રેમ સમજાઈ જાય છે તો આ જગત સમજાઈ જાય છે.
પિતાશ્રી માટે પરિવાર એ સિમિત શબ્દ ન હતો પણ પરિવાર પ્રત્યેની વિશેષ ભાવના હતી અને એમની પારિવારિક ભાવનાને લીધે તેઓશ્રી જીવનના અંત સુધી પરિવાર સાથે જ તંદુરસ્તમય જીવન જીવ્યા. પિતાશ્રી સાથે અમે સંયુક્ત કુટુંબમાં ઝાઝુ જીવ્યા અને એમના જીવનના અંતિમ સમય સુધી એમની સાથે રહ્યા એનો એમને પરમ સંતોષ હશે. જીવન - મૃત્યુના ફેરાને તેઓ સાચી રીતે સમજ્યા અને એ પ્રમાણે જીવ્યા અને એ જ સમજ સાથે તેઓશ્રીએ અમને દેહ્ત્યાગ પહેલા અંતરના આશિર્વાદ આપી સહજતાથી પોતાનો દેહ છોડી સનાતન સત્યરૂપી અનંત યાત્રાએ ચાલ્યા ગયા.
પિતાશ્રીની અમારા પરિવાર વચ્ચેથી કાયમી વિદાયને લાંબો સમય પસાર થઈ ગયો છે ત્યારે હજુ મન એ સનાતન સત્ય સ્વિકારવા તૈયાર નથી કે પિતાશ્રી સદેહે આ જગતમાં હયાત નથી. જાણે કોઈ અગમ્ય શક્તિ અમને એમની હૂંફ પુરી પાડતી હોય એવો અહેસાસ અવિરત અનુભવાય છે.
તેઓ ભલે આજે અમારી વચ્ચે હયાત નથી પણ એમના કેટલાય સંસ્મરણો સાથે તેઓ અમારી સાથે આજે પણ જીવી રહ્યા હોય એવો અહેસાસ જરૂર અનુભવાય છે.🙏🙏
શૂન્ય માંથી સર્જન કરી સાત્વિક જીવન જીવી જનાર અમારા પિતાશ્રી 2025 ની ઉતરાયણની મધરાતે ૧૨.૦૦ કલાકે અમારા સૌની હાજરી વચ્ચે પોતાનું શરીર છોડી અનંતયાત્રાએ ચાલ્યા ગયા. ૧૫ મી જાન્યુઆરીની સવારે નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલિન થઈ ગયો. હવે સદેહે પિતાશ્રી અમારી વચ્ચે નથી પણ એમના સંસ્મરણો સાથે તેઓ અમારા હ્રદયસ્થ રહેવાની સાથે તસવીરોમાં અમારી સાથે તેઓશ્રીની સુખદ યાદો સચવાયેલી છે. તેઓશ્રીનો આત્મા જ્યાં પણ હશે તે અમને હંમેશા આશિર્વાદ વરસાવતો રહેશે.
મૃત્યુલોકમાં જીવન - મૃત્યુનું ચક્ર એ સનાતન સત્ય છે એનો સ્વિકાર પરમાત્માની સાક્ષીએ કરવો રહ્યો પણ પિતાશ્રીનું ઋણ આજીવન ચુકવાશે નહી એ પણ એટલું જ સત્ય છે.
આપની ખોટ હંમેશા અનુભવાશે. પિતાશ્રીના સંસ્મરણો અમારા માટે આજીવન હ્રદયસ્થ રહેશે. 🙏🙏
ઓમ શાંતિ 🙏
નિતીન પટેલ અને પરિવારજનો (વડગામ)
બચપણથી સંઘર્ષમય જીવનના સાક્ષી પિતાશ્રીના જીવનમા જવાબદારીઓનો દોર સતત વધતો રહ્યો છતાં એને પુરી નિષ્ઠા, પ્રમાણિકતા અને સ્નેહપૂર્વક નિભાવતા રહ્યા. પરિસ્થિતિઓ સુખદ હોય કે દુઃખદ એમને સમભાવે જોતા રહ્યા. એમના જીવનનું ઉત્તમ પાસુ એમની કાર્ય પ્રત્યેની નિષ્ઠા, પ્રામાણિકતા , નિયમિતતા અને દરેક પરિસ્થિતિ કે વ્યક્તિ પ્રત્યેની ભાવપૂર્ણ સમદ્રષ્ટિ ગણી શકાય.
અમારા પરિવારને પિતાજી સાથે જીવનનો મોટોભાગ ભરપૂર જીવવા મળ્યુ એ મોટુ આશ્વાસન છે. પિતાશ્રી જીવનભર સાદગી, કરુણા, પ્રેમના ઉપાસક રહ્યા તેઓશ્રી પોતાના માટે ઓછું અન્ય માટે વધુ જીવ્યા એવું ચોક્કસપણે કહી શકાય. સમાજના દરેક વર્ગ વચ્ચે રહેવાનું, કામ કરવાનું થયું જેનાથી તેઓશ્રીનો જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ વધુ સ્પષ્ટ થતો ગયો અને એના થકી તેઓશ્રી જીવનના અંત સુધી સંતુલિત , સકારાત્મક અને સ્વસ્થ જીવન ઉત્તમ રીતે જીવી શક્યા. તેઓશ્રીનો હંમેશા આગ્રહ રહેતો કોઈના વિશે નકારાત્મક વિચારસરણી, ટીકા ટિપ્પણી કે કોઈ પણ વ્યક્તિ - સમાજની નિંદા - કુથલી કરવી નહી. સૌની સાથે હળીમળીને રહેવું.
જીવનની શરૂઆતમાં ખેતરમાં ભારા ઉપાડવાનો બોજ તેમજ ત્યારબાદ પરિવાર-સમાજનો ભાર ઉપાડવાની ફરજ પણ પિતાશ્રીએ સહજતાથી નીભાવી જીવનને સાચા અર્થમાં સમૃદ્ધ કર્યું. જીવનની શરૂઆતમા અભાવો વચ્ચે તેમજ પોતાના સમગ્ર જીવન દરમિયાન વ્યક્તિગત , પારિવારિક, સામાજિક, વ્યવસાયિક જીવનમાં સમાધાનકારી વલણ અપનાવતા રહી અડચણોને પાર કરી નિસ્વાર્થ સેવાભાવ સાથે જીવનને પ્રકાશિત કરતાં રહ્યાં. પોતે અગવડો વેઠી અમને સગવડો આપતા ગયા
84 વર્ષ સુધી અમારા પિતાશ્રી લક્ષ્મણભાઈ શામળાભાઈ ઉપલાણા સંયુક્ત કુટુંબમાં તંદુરસ્ત જીવન જીવ્યા. નિયમિતતા અને ચોકસાઈ એમના આજીવન ગુણ રહ્યા. અમારા પિતા સ્વ. શ્રી લક્ષ્મણભાઈ શામળભાઈ ઉપલાણાએ પોતાનું સમગ્ર જીવન પોતાના માટે ઓછું અન્ય માટે વધુ જીવ્યા તે પછી સમાજ હોય , પરિવાર હોય, સ્નેહીજનો હોય કે પછી પ્રકૃતિ ( અસ્તિત્વ) હોય. હંમેશા એમનો ભાવ સૌનું ભલું ઈચ્છતા સ્નેહપૂર્ણ , લાગણીસભર અને નિસ્વાર્થ રહ્યો છે.
પિતાશ્રીના અવસાનને બે મહિના બાદ પ્રપૌત્ર નો જન્મ થયો, જે થોડા માટે પિતાશ્રીનો પ્રેમ પામવાનો ચુકી ગયો એનો અફસોસ જીવનભર રહેશે. આપના પ્રપૌત્ર અગસ્ત્ય હવે ત્રણ મહિનાનો થયો છે અને સ્વસ્થ છે. આપે જે સામાજિક , પારિવારિક જવાબદારીઓ જીવનના અંત સુધી નિભાવી એ હવે અમારા શીરે આવી છે એટલે હવે અમને સમજાય છે કે આપની હાજરી અમારા માટે બેશક કેટલી કિંમતી હતી. છતાં જીવન છે તો સાથે મૃત્યુ પણ છે એ સનાતન સત્ય ને સમજી જીવન પ્રવાહમા અમે સૌ આપના આશીર્વાદ થકી મક્કમ ગતિએ આપના સંસ્મરણો થકી હિમંતપૂર્વક આગળ વધી રહ્યા છીએ.
આપે આપને ગમતા સુવાક્યોનુ સંકલન કરી ડાયરીઓના પાનામાં આપના સ્વહસ્તે લખેલ લખાણ અમે વાંચતા રહીએ છે,જે અમને આપ અમારી સાથે હોવાનો હરપળ અહેસાસ કરાવવાની સાથે પ્રેરણા આપતું રહે છે.
શૈક્ષણિક કારકિર્દી દરમિયાન કોઈ વહીવટી વિવાદ હોય તો પિતાશ્રીના સમાધાનકારી વલણના સહજ સ્વભાવને લીધે તેઓએ જે પણ શૈક્ષણિક સંસ્થાઓમાં પોતાની ફરજ નિભાવી ત્યાંના શૈક્ષણિક સ્ટાફમાં એમની લોકચાહના હતી. મારા પિતાશ્રી હંમેશા કોઈનું અહીત ન થાય એ રીતે તેઓ વહીવટી સમસ્યાઓનો ઉકેલ શોધતા. મતભેદ ને મનભેદ સુધી ક્યારેય ન લઈ જતા.
પિતાશ્રી છેલ્લે કાકાસાહેબ કાલેલકર લિખિત પુસ્તક પરમ સખા મૃત્યુ વાંચતા હતા એમા એમણે પુસ્તક વાંચતા વાંચતા પુસ્તકમાં લખેલ કેટલાક ફકરાઓ ઉપર પેન્સિલથી એમના હસ્તે અંડરલાઈન કરી છે એ બતાવે છે કે તેઓ શરીરરૂપી મૃત્યુના સત્યને ને સારી રીતે સમજી અને સ્વિકારી ચુક્યા હતા.
વિશેષમાં એમને દૈનિક ડાયરીમાં હિસાબ - કિતાબ અને વાંચન દરમિયાન ગમતાં સુવાક્યો અને ઉપયોગી માહિતીની નોંધ નિયમિત લખતા રહેવાનો શોખ હતો. આજે પિતાશ્રી સ્વદેહે હયાત નથી એનો ખાલીપો આજીવન રહેવાનો પણ અક્ષરદેહે તો અમારી સાથે તેઓ સ્મરણોમાં આજીવન રહેવાના.
લાઓસ્તેના ત્રણ ખજાના યાદ કરીને નોંધ્યું છે કે......
પહેલો ખજાનો છે પ્રેમ. બીજો છે કોઈ બાબતમાં અતિ ન કરવી અને ત્રીજો ખજાનો છે સંસારમાં પ્રથમ થવાની દોડમાં ન પડવું....
આનંદ અને અંતરની શાંતિ ભોગવે છે એ અંતરજ્ઞાન અર્જિત કરનાર બ્રહ્મસ્વરૂપ થઈ નિર્વાણ (મોક્ષ) પામે છે.
તેઓએ એમની દૈનિક ડાયરીમાં એક સરસ વાક્ય લખેલુ છે કે આનંદસભર ઘર, શાણાં સંતાન, પ્રિયવાદિની ભર્યા, સારા મિત્રો , પવિત્ર ધન, પરસ્પર પ્રેમ, આજ્ઞાકિંત નોકરો , આતિથ્ય, પ્રભુ ભક્તિ , મધુર ભોજન અને સત્સંગ એટલે ધન્ય ગૃહસ્થાશ્રમ
અમારા પિતાશ્રીએ એમની દૈનિક ડાયરીમાં નોંધ્યું છે કે.....
આટલી સુવિધા છતાં જગત દુઃખી કેમ છે ? તેનું એક કારણ વ્યક્તિ પોતે જે રસ અને રુચિ લઈને જન્મે છે, પોતાની ઊંડી અને આધારભૂત ઈચ્છા છે તે પ્રમાણે જીવી શક્તી નથી.
પિતાશ્રીએ પોતાને ગમતું ઓશોનું એક વાક્ય પોતાની દૈનિક ડાયરીમાં નોંધ્યું છે કે....
તુમ યહાં મહેમાન હો, ઈસ પૃથ્વી કો ઔર અધિક સુંદર બનાઓ, અધિક પ્રેમપૂર્ણ, અધિક સુગંધયુકત. ઉન મહેમાનો કે લિયે જો તુમ્હારે બાદ આયેંગે.
આપે લખ્યું છે કે વેદ પુરાણ વાંચ્યા પછીનો જો કોઈ સાર હોય તો પ્રેમ અને કરુણા છે. જો પ્રેમ સમજાઈ જાય છે તો આ જગત સમજાઈ જાય છે.
પિતાશ્રી માટે પરિવાર એ સિમિત શબ્દ ન હતો પણ પરિવાર પ્રત્યેની વિશેષ ભાવના હતી અને એમની પારિવારિક ભાવનાને લીધે તેઓશ્રી જીવનના અંત સુધી પરિવાર સાથે જ તંદુરસ્તમય જીવન જીવ્યા. પિતાશ્રી સાથે અમે સંયુક્ત કુટુંબમાં ઝાઝુ જીવ્યા અને એમના જીવનના અંતિમ સમય સુધી એમની સાથે રહ્યા એનો એમને પરમ સંતોષ હશે. જીવન - મૃત્યુના ફેરાને તેઓ સાચી રીતે સમજ્યા અને એ પ્રમાણે જીવ્યા અને એ જ સમજ સાથે તેઓશ્રીએ અમને દેહ્ત્યાગ પહેલા અંતરના આશિર્વાદ આપી સહજતાથી પોતાનો દેહ છોડી સનાતન સત્યરૂપી અનંત યાત્રાએ ચાલ્યા ગયા.
પિતાશ્રીની અમારા પરિવાર વચ્ચેથી કાયમી વિદાયને લાંબો સમય પસાર થઈ ગયો છે ત્યારે હજુ મન એ સનાતન સત્ય સ્વિકારવા તૈયાર નથી કે પિતાશ્રી સદેહે આ જગતમાં હયાત નથી. જાણે કોઈ અગમ્ય શક્તિ અમને એમની હૂંફ પુરી પાડતી હોય એવો અહેસાસ અવિરત અનુભવાય છે.
તેઓ ભલે આજે અમારી વચ્ચે હયાત નથી પણ એમના કેટલાય સંસ્મરણો સાથે તેઓ અમારી સાથે આજે પણ જીવી રહ્યા હોય એવો અહેસાસ જરૂર અનુભવાય છે.🙏🙏
શૂન્ય માંથી સર્જન કરી સાત્વિક જીવન જીવી જનાર અમારા પિતાશ્રી 2025 ની ઉતરાયણની મધરાતે ૧૨.૦૦ કલાકે અમારા સૌની હાજરી વચ્ચે પોતાનું શરીર છોડી અનંતયાત્રાએ ચાલ્યા ગયા. ૧૫ મી જાન્યુઆરીની સવારે નશ્વર દેહ પંચમહાભૂતમાં વિલિન થઈ ગયો. હવે સદેહે પિતાશ્રી અમારી વચ્ચે નથી પણ એમના સંસ્મરણો સાથે તેઓ અમારા હ્રદયસ્થ રહેવાની સાથે તસવીરોમાં અમારી સાથે તેઓશ્રીની સુખદ યાદો સચવાયેલી છે. તેઓશ્રીનો આત્મા જ્યાં પણ હશે તે અમને હંમેશા આશિર્વાદ વરસાવતો રહેશે.
મૃત્યુલોકમાં જીવન - મૃત્યુનું ચક્ર એ સનાતન સત્ય છે એનો સ્વિકાર પરમાત્માની સાક્ષીએ કરવો રહ્યો પણ પિતાશ્રીનું ઋણ આજીવન ચુકવાશે નહી એ પણ એટલું જ સત્ય છે.
આપની ખોટ હંમેશા અનુભવાશે. પિતાશ્રીના સંસ્મરણો અમારા માટે આજીવન હ્રદયસ્થ રહેશે. 🙏🙏
ઓમ શાંતિ 🙏
નિતીન પટેલ અને પરિવારજનો (વડગામ)
Nitin
2 months ago
Nitin
2 months ago
બચપણથી સંઘર્ષમય જીવનના સાક્ષી પિતાશ્રીના જીવનમા જવાબદારીઓનો દોર સતત વધતો રહ્યો છતાં એને પુરી નિષ્ઠા, પ્રમાણિકતા અને સ્નેહપૂર્વક નિભાવતા રહ્યા. પરિસ્થિતિઓ સુખદ હોય કે દુઃખદ એમને સમભાવે જોતા રહ્યા. એમના જીવનનું ઉત્તમ પાસુ એમની કાર્ય પ્રત્યેની નિષ્ઠા, પ્રામાણિકતા , નિયમિતતા અને દરેક પરિસ્થિતિ કે વ્યક્તિ પ્રત્યેની ભાવપૂર્ણ સમદ્રષ્ટિ ગણી શકાય.
પિતાશ્રીની અમારા પરિવાર વચ્ચેથી કાયમી વિદાયને અગિયાર મહિના જેટલો સમય પસાર થઈ ગયો છે ત્યારે હજુ મન એ સનાતન સત્ય સ્વિકારવા તૈયાર નથી કે પિતાશ્રી સદેહે આ જગતમાં હયાત નથી. જાણે કોઈ અગમ્ય શક્તિ અમને એમની હૂંફ પુરી પાડતી હોય એવો અહેસાસ અવિરત અનુભવાય છે.
અમારા પરિવારને પિતાજી સાથે જીવનનો મોટોભાગ ભરપૂર જીવવા મળ્યુ એ મોટુ આશ્વાસન છે.
પિતાજીની ૧૧મી માસિક પુણ્યતિથિ નિમિત્તે એમના સ્મરણાર્થે વડગામમાં યુવાનોના શારીરિક, માનસિક સ્વાસ્થ્ય હેતુ કાર્યરત ડોકરા ક્લબના યુવાનોને વડગામ સ્પોર્ટ્સ ક્લબ ઉપર રનિગ ટ્રેક બનાવવા હેતુ તેમજ વડગામના યુવાનો દ્વારા ચાલતી શ્વાન રથ ભોજન સેવામાં ફુલ નહી તો ફુલની પાંખડી સ્વરૂપે નાનકડી સહયોગ રાશી અર્પણ કરી.
પિતાજીએ પોતાની દૈનિક ડાયરીમાં લાઓસ્તેના ત્રણ ખજાના યાદ કરીને નોંધ્યું છે કે......
પહેલો ખજાનો છે પ્રેમ. બીજો છે કોઈ બાબતમાં અતિ ન કરવી અને ત્રીજો ખજાનો છે સંસારમાં પ્રથમ થવાની દોડમાં ન પડવું....
પિતાજીને ૧૧મી માસિક પુણ્યતિથિ નિમિત્તે વંદન સહ હાર્દિક શ્રધાંજલિ ?
બચપણથી સંઘર્ષમય જીવનના સાક્ષી પિતાશ્રીના જીવનમા જવાબદારીઓનો દોર સતત વધતો રહ્યો છતાં એને પુરી નિષ્ઠા, પ્રમાણિકતા અને સ્નેહપૂર્વક નિભાવતા રહ્યા. પરિસ્થિતિઓ સુખદ હોય કે દુઃખદ એમને સમભાવે જોતા રહ્યા. એમના જીવનનું ઉત્તમ પાસુ એમની કાર્ય પ્રત્યેની નિષ્ઠા, પ્રામાણિકતા , નિયમિતતા અને દરેક પરિસ્થિતિ કે વ્યક્તિ પ્રત્યેની ભાવપૂર્ણ સમદ્રષ્ટિ ગણી શકાય.
પિતાશ્રીની અમારા પરિવાર વચ્ચેથી કાયમી વિદાયને અગિયાર મહિના જેટલો સમય પસાર થઈ ગયો છે ત્યારે હજુ મન એ સનાતન સત્ય સ્વિકારવા તૈયાર નથી કે પિતાશ્રી સદેહે આ જગતમાં હયાત નથી. જાણે કોઈ અગમ્ય શક્તિ અમને એમની હૂંફ પુરી પાડતી હોય એવો અહેસાસ અવિરત અનુભવાય છે.
અમારા પરિવારને પિતાજી સાથે જીવનનો મોટોભાગ ભરપૂર જીવવા મળ્યુ એ મોટુ આશ્વાસન છે.
પિતાજીની ૧૧મી માસિક પુણ્યતિથિ નિમિત્તે એમના સ્મરણાર્થે વડગામમાં યુવાનોના શારીરિક, માનસિક સ્વાસ્થ્ય હેતુ કાર્યરત ડોકરા ક્લબના યુવાનોને વડગામ સ્પોર્ટ્સ ક્લબ ઉપર રનિગ ટ્રેક બનાવવા હેતુ તેમજ વડગામના યુવાનો દ્વારા ચાલતી શ્વાન રથ ભોજન સેવામાં ફુલ નહી તો ફુલની પાંખડી સ્વરૂપે નાનકડી સહયોગ રાશી અર્પણ કરી.
પિતાજીએ પોતાની દૈનિક ડાયરીમાં લાઓસ્તેના ત્રણ ખજાના યાદ કરીને નોંધ્યું છે કે......
પહેલો ખજાનો છે પ્રેમ. બીજો છે કોઈ બાબતમાં અતિ ન કરવી અને ત્રીજો ખજાનો છે સંસારમાં પ્રથમ થવાની દોડમાં ન પડવું....
પિતાજીને ૧૧મી માસિક પુણ્યતિથિ નિમિત્તે વંદન સહ હાર્દિક શ્રધાંજલિ ?
Parasbhai Vasudev Soni
3 months ago