Passed Away
March 01st, 2018
Popularly Known as
Professor Saheb
Occupation
Professor
Religion
Hindu
Caste
Lohana
Subcaste
Lohana
Native
-
City
Rajkot
State
Gujarat
Country
India
Father is the only religion, the father is the heaven, the father is the supreme penance, the patriarch is the best in worship. Parentism is also a favorite of the gods. These sentences, which are said in Shastra, are the essence of our lives. Receiving heaven is done by religion, it happens through penance. But our patriarchy is the best in all devotion for us.
Shradhanjali By
Sandeep Popat, Amit Popat, Rajiv Popat, Sanjiv Popat & Family
Biography of Shri Ratilal Chhaganlal Popat
આર. સી. પોપટ એટલે રતિલાલ છગનલાલ પોપટ. હું એમનો 1994ની બેચનો વિદ્યાર્થી. કોમ્પ્યુટરના પહેલાં વહેલાં પાઠ પણ હું પોપટ સાહેબ પાસેથી એના ઘરે શીખ્યો. પોપટ સાહેબ જ્યારે અર્થશાસ્ત્ર ભણાવતા હોય ત્યારે અમે સૌ વિદ્યાર્થીઓ એટલાં ઓતપ્રોત બની જતાં કે પિરિયડ પુરા થયાનો બેલ પણ ભૂલી જતાં. મોટાભાગે પોપટ સાહેબના સળંગ બે લેક્ચરર્સ હોય એટલે ટોપિકની લિન્ક જળવાઇ રહેતી. પોપટસાહેબ વિદ્યાર્થીઓને કાયમ કોર્સ બહારનું અને ખાસ તો સાંપ્રત અર્થ ગતિવિધિઓ વિશે જણાવીને સૌને બદલાતાં સમય સાથે જોડતાં. ખાસ કરીને દર વરસે અંદાજપત્ર ઉપર એમનાં લેકચર યાદગાર રહેતાં.
1991માં એ સમયના નાણામંત્રી મનમોહન સિંહે ઘડેલી નવી ઔદ્યોગિક નીતિ અને એના સૂચિતાર્થો પર એમણે કરેલી આગાહી અક્ષરસહ આજે સાચી પડેલી જોઇ શકાય છે. મેં એ નવી ઔદ્યોગિક નીતિ ઉપર વિસ્તારથી લખેલો લેખ પોપટ સાહેબે વાંચીને મઠારી દીધો હતો. એટલું જ નહીં પણ એ લેખ પછી 'અર્થસંકલન' જેવાં અધિકૃત મેગેઝિનમાં કોલેજ તરફી મોકલી આપ્યો હતો. પોતે કાયમ પડદા પાછળ રહીને વિદ્યાર્થીને એ આગળ કરતાં અને પછી એ લેખ છપાઇને આવ્યો તો બધે પોરસાઇને કહેતાં કે 'મારાં વિદ્યાર્થીનો લેખ અર્થસંકલનમાં છપાયો છે. આ જુઓ.'
અર્થશાસ્ત્ર સિવાય પોપટ સાહેબ કોલેજમાં નાટ્ય પ્રવૃતિને પણ પ્રોત્સાહન આપતાં. યુનિ. યુથ ફેસ્ટિવલ માટે દર વરસે નાટક, એક પાત્રિય અભિનય, મૂક અભિનય, વકતૃત્વ વગેરે માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવા માટે એ કાયમ પ્રોત્સાહન અને માર્ગદર્શન પુરુ પાડતાં. એમણે રચેલું 'સૂર એકતાનો' નામનું પેન્ટોમાઇમ એ દિવસોમાં ખાસ્સુ પ્રસિદ્ધિ પામ્યું હતું. યુનિ.ની સ્પર્ધામાં પ્રથમ આવ્યા બાદ એ દુરદર્શન અને કોલેજના વાર્ષિકીત્સવમાં ભજવાયું હતું. હું એ પેન્ટોમાઇમ અને લગભગ બધાં નાટકોમાં જોડાયેલો હતો એનો આનંદ છે. રોજ સાંજ સુધી પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ પછીની મસ્તી અત્યારે યાદ આવે છે.
નિવૃતિ પછી પણ પોપટ સાહેબ સક્રિય હતાં. ચિત્રલેખામાં એમના અભિપ્રાયો અને ચર્ચાપત્રો અવારનવાર છપાતાં. આ પણ કેવો યોગાનુયોગ છે કે આજના ચિત્રલેખામાં જ એમનો ચર્ચાપત્ર છપાયેલો છે. એ હજી હમણાં મેં વાંચ્યો અને આ દુઃખદ સમાચાર જાણવા મળ્યાં. એક પ્રોફેસરનું કદી મૃત્યુ નથી થતું. પ્રોફેસર સદાય સદાકાળ માટે એનાં વિદ્યાર્થીઓમાં સમેટાઇ જતાં હોય છે. પોપટસાહેબના અક્ષરદેહને ભીની આંખે વંદન. ॐ શાંતિ ...
Family Tree of Shri Ratilal Chhaganlal Popat
Photo Album of Shri Ratilal Chhaganlal Popat
No Photos
Videos of Shri Ratilal Chhaganlal Popat
No videos
Post a tribute & share memories
Fond Memories & Remembrance
Related Profiles
Post Condolences
cheensimi
2 years ago
Iliyas Shaikh
6 years ago
અલવિદા પોપટ સાહેબ,
ॐ શાંતિ ... વંદન.
આર. સી. પોપટ એટલે રતિલાલ છગનલાલ પોપટ. હું એમનો 1994ની બેચનો વિદ્યાર્થી. કોમ્પ્યુટરના પહેલાં વહેલાં પાઠ પણ હું પોપટ સાહેબ પાસેથી એના ઘરે શીખ્યો. પોપટ સાહેબ જ્યારે અર્થશાસ્ત્ર ભણાવતા હોય ત્યારે અમે સૌ વિદ્યાર્થીઓ એટલાં ઓતપ્રોત બની જતાં કે પિરિયડ પુરા થયાનો બેલ પણ ભૂલી જતાં. મોટાભાગે પોપટ સાહેબના સળંગ બે લેક્ચરર્સ હોય એટલે ટોપિકની લિન્ક જળવાઇ રહેતી. પોપટસાહેબ વિદ્યાર્થીઓને કાયમ કોર્સ બહારનું અને ખાસ તો સાંપ્રત અર્થ ગતિવિધિઓ વિશે જણાવીને સૌને બદલાતાં સમય સાથે જોડતાં. ખાસ કરીને દર વરસે અંદાજપત્ર ઉપર એમનાં લેકચર યાદગાર રહેતાં.
1991માં એ સમયના નાણામંત્રી મનમોહન સિંહે ઘડેલી નવી ઔદ્યોગિક નીતિ અને એના સૂચિતાર્થો પર એમણે કરેલી આગાહી અક્ષરસહ આજે સાચી પડેલી જોઇ શકાય છે. મેં એ નવી ઔદ્યોગિક નીતિ ઉપર વિસ્તારથી લખેલો લેખ પોપટ સાહેબે વાંચીને મઠારી દીધો હતો. એટલું જ નહીં પણ એ લેખ પછી 'અર્થસંકલન' જેવાં અધિકૃત મેગેઝિનમાં કોલેજ તરફી મોકલી આપ્યો હતો. પોતે કાયમ પડદા પાછળ રહીને વિદ્યાર્થીને એ આગળ કરતાં અને પછી એ લેખ છપાઇને આવ્યો તો બધે પોરસાઇને કહેતાં કે 'મારાં વિદ્યાર્થીનો લેખ અર્થસંકલનમાં છપાયો છે. આ જુઓ.'
અર્થશાસ્ત્ર સિવાય પોપટ સાહેબ કોલેજમાં નાટ્ય પ્રવૃતિને પણ પ્રોત્સાહન આપતાં. યુનિ. યુથ ફેસ્ટિવલ માટે દર વરસે નાટક, એક પાત્રિય અભિનય, મૂક અભિનય, વકતૃત્વ વગેરે માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવા માટે એ કાયમ પ્રોત્સાહન અને માર્ગદર્શન પુરુ પાડતાં. એમણે રચેલું 'સૂર એકતાનો' નામનું પેન્ટોમાઇમ એ દિવસોમાં ખાસ્સુ પ્રસિદ્ધિ પામ્યું હતું. યુનિ.ની સ્પર્ધામાં પ્રથમ આવ્યા બાદ એ દુરદર્શન અને કોલેજના વાર્ષિકીત્સવમાં ભજવાયું હતું. હું એ પેન્ટોમાઇમ અને લગભગ બધાં નાટકોમાં જોડાયેલો હતો એનો આનંદ છે. રોજ સાંજ સુધી પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ પછીની મસ્તી અત્યારે યાદ આવે છે.
નિવૃતિ પછી પણ પોપટ સાહેબ સક્રિય હતાં. ચિત્રલેખામાં એમના અભિપ્રાયો અને ચર્ચાપત્રો અવારનવાર છપાતાં. આ પણ કેવો યોગાનુયોગ છે કે આજના ચિત્રલેખામાં જ એમનો ચર્ચાપત્ર છપાયેલો છે. એ હજી હમણાં મેં વાંચ્યો અને આ દુઃખદ સમાચાર જાણવા મળ્યાં. એક પ્રોફેસરનું કદી મૃત્યુ નથી થતું. પ્રોફેસર સદાય સદાકાળ માટે એનાં વિદ્યાર્થીઓમાં સમેટાઇ જતાં હોય છે. પોપટસાહેબના અક્ષરદેહને ભીની આંખે વંદન. ॐ શાંતિ ...
અલવિદા પોપટ સાહેબ,
ॐ શાંતિ ... વંદન.
આર. સી. પોપટ એટલે રતિલાલ છગનલાલ પોપટ. હું એમનો 1994ની બેચનો વિદ્યાર્થી. કોમ્પ્યુટરના પહેલાં વહેલાં પાઠ પણ હું પોપટ સાહેબ પાસેથી એના ઘરે શીખ્યો. પોપટ સાહેબ જ્યારે અર્થશાસ્ત્ર ભણાવતા હોય ત્યારે અમે સૌ વિદ્યાર્થીઓ એટલાં ઓતપ્રોત બની જતાં કે પિરિયડ પુરા થયાનો બેલ પણ ભૂલી જતાં. મોટાભાગે પોપટ સાહેબના સળંગ બે લેક્ચરર્સ હોય એટલે ટોપિકની લિન્ક જળવાઇ રહેતી. પોપટસાહેબ વિદ્યાર્થીઓને કાયમ કોર્સ બહારનું અને ખાસ તો સાંપ્રત અર્થ ગતિવિધિઓ વિશે જણાવીને સૌને બદલાતાં સમય સાથે જોડતાં. ખાસ કરીને દર વરસે અંદાજપત્ર ઉપર એમનાં લેકચર યાદગાર રહેતાં.
1991માં એ સમયના નાણામંત્રી મનમોહન સિંહે ઘડેલી નવી ઔદ્યોગિક નીતિ અને એના સૂચિતાર્થો પર એમણે કરેલી આગાહી અક્ષરસહ આજે સાચી પડેલી જોઇ શકાય છે. મેં એ નવી ઔદ્યોગિક નીતિ ઉપર વિસ્તારથી લખેલો લેખ પોપટ સાહેબે વાંચીને મઠારી દીધો હતો. એટલું જ નહીં પણ એ લેખ પછી 'અર્થસંકલન' જેવાં અધિકૃત મેગેઝિનમાં કોલેજ તરફી મોકલી આપ્યો હતો. પોતે કાયમ પડદા પાછળ રહીને વિદ્યાર્થીને એ આગળ કરતાં અને પછી એ લેખ છપાઇને આવ્યો તો બધે પોરસાઇને કહેતાં કે 'મારાં વિદ્યાર્થીનો લેખ અર્થસંકલનમાં છપાયો છે. આ જુઓ.'
અર્થશાસ્ત્ર સિવાય પોપટ સાહેબ કોલેજમાં નાટ્ય પ્રવૃતિને પણ પ્રોત્સાહન આપતાં. યુનિ. યુથ ફેસ્ટિવલ માટે દર વરસે નાટક, એક પાત્રિય અભિનય, મૂક અભિનય, વકતૃત્વ વગેરે માટે વિદ્યાર્થીઓને તૈયાર કરવા માટે એ કાયમ પ્રોત્સાહન અને માર્ગદર્શન પુરુ પાડતાં. એમણે રચેલું 'સૂર એકતાનો' નામનું પેન્ટોમાઇમ એ દિવસોમાં ખાસ્સુ પ્રસિદ્ધિ પામ્યું હતું. યુનિ.ની સ્પર્ધામાં પ્રથમ આવ્યા બાદ એ દુરદર્શન અને કોલેજના વાર્ષિકીત્સવમાં ભજવાયું હતું. હું એ પેન્ટોમાઇમ અને લગભગ બધાં નાટકોમાં જોડાયેલો હતો એનો આનંદ છે. રોજ સાંજ સુધી પ્રેક્ટિસ અને પ્રેક્ટિસ પછીની મસ્તી અત્યારે યાદ આવે છે.
નિવૃતિ પછી પણ પોપટ સાહેબ સક્રિય હતાં. ચિત્રલેખામાં એમના અભિપ્રાયો અને ચર્ચાપત્રો અવારનવાર છપાતાં. આ પણ કેવો યોગાનુયોગ છે કે આજના ચિત્રલેખામાં જ એમનો ચર્ચાપત્ર છપાયેલો છે. એ હજી હમણાં મેં વાંચ્યો અને આ દુઃખદ સમાચાર જાણવા મળ્યાં. એક પ્રોફેસરનું કદી મૃત્યુ નથી થતું. પ્રોફેસર સદાય સદાકાળ માટે એનાં વિદ્યાર્થીઓમાં સમેટાઇ જતાં હોય છે. પોપટસાહેબના અક્ષરદેહને ભીની આંખે વંદન. ॐ શાંતિ ...