Born
April 01st, 1917
Passed Away
July 20th, 2009
Occupation
Service
Spouse
Nirgunaben Vachharajani
Religion
Hindu
Caste
-
Native
Rajkot
Country
India
પિતા જ ધર્મ છે, પિતા જ સ્વર્ગ છે,
પિતા જ પરમ તપ છે,
પિતૃભક્તિ સર્વે ભક્તિમાં શ્રેષ્ઠ છે.
પિતૃભક્તિ સર્વે દેવતાઓને પણ પ્રિય છે.
શાસ્ત્ર માં કહેવાયેલા આ વાક્યો નો અર્થ અમારા જીવનનો મર્મ છે.
સ્વર્ગની પ્રાપ્તિ ધર્મથી થાય છે, તપથી થાય છે.
પરંતુ અમારા માટે અમારી પિતૃભક્તિ જ સર્વે ભક્તિમાં શ્રેષ્ઠ છે.
Shradhanjali By
Pritesh D. Vachharajani
Krupali P. Vachharajani
Mitesh D. Vachharajani
Madhavi M. Vachharajani
Khamir R. Vasavda
Kinnari K. Vasavada
Biography of Mr. Vishnuprasad Hematlal Vachharajani
:: પૂજા શા માટે કરવી જોઈએ ? ::
હિંદુ ધર્મિક શાસ્ત્રોમાં નિત્ય પરોઠે પૂજા-પાઠ કરવાનું મહાત્મય વર્ણાવાયેલું છે. નીત્ય કરવામાં આવતી પૂજાની વિધિઓમાં મુખત્વે ઈશ્વરની પ્રતિમાને જળ, પંચામૃત જેવા તત્વો દ્વારા સ્નાન કરાવી ચંદન તથા કંકુ, અતર જેવા સુગંધિત લેપ લગાવી પ્રતિમાના વસ્ત્રો બદલવામાં આવે અને ત્યાર પછી તે પ્રતિમાને પુષ્પો અથવા પર્ણો, વડે શણગારી તેની આરતી ઉતારવામાં આવે છે. અને અંતમાં પ્રભુને ભોગ ધરવામાં આવે છે.
ઉપરોક્ત પૂજા-વિધિઓનું ક્રમાનુસાર ચિંતન કરવાથી ખ્યાલ આવે છે કે એક પછી એક કરવામાં આવતી આ ક્રિયાઓ આપણને કંઈક સંકેત આપે છે. શા માટે આપણે ઈશ્વરને સ્નાન કરાવીએ છીએ ? શા માટે આપણે ઈશ્વરના વસ્ત્રો બદલીએ છીએ ? શા માટે આપણે ઈશ્વરને ભોજન કરાવીએ છીએ ?ટૂંકમાં કહીએ તો શા માટે આપણે ઈશ્વરની પ્રતિમાને એ બધી જ ક્રિયાઓ કરાવીએ છીએ જે ક્રિયાઓ આપણે નિત્યક્રમ મુજબ કરીએ છીએ ? કારણ કે આ બધી જ ક્રિયાઓ પ્રભુની પ્રતિમા સાથે કરવાથી આપણને એવી લાગણીની અનુભૂતિ થાય છે કે ઈશ્વર એ બીજું કોઈ નહિ પણ આપની સાથે રહેતું આપણા ઘરનું જ કોઈ માનનીય સદસ્ય હોય. તેથી જ કહેવાયું છે કે જે ઘરમાં દરરોજ પૂજા પાઠ થાય છે ત્યાં ઈશ્વરનો વાસ હોય છે?
તેથી જો આપણે ઈશ્વરને આપણા ઘરનો સદસ્ય બનાવવા માગતા હોઈએ તો ઘરના કોઇપણ એક વ્યક્તિએ ઉપરોક્ત વિધિઓ કરી પૂજા પાઠ અવશ્ય કરવા જોઈએ પૂજા વિધિ વિગતવાર અત્રે પ્રસ્તુત કરેલ છે.
:: ઈશ્વર પર શ્રદ્ધા રાખવાના વાસ્તવિક તથા વૈજ્ઞાનિક કારણો ::
આજના આ હાઈ-ટેક જમાનામાં સાયન્ટીફીક સાધનોનાં ઉપયોગથી માનવીનું મન પણ એટલું પરિપક્વ થયું છે કે તે પણ દરેક કાર્ય અથવા તે કાર્ય પર વિશ્વાસ કરતા પહેલા એક પ્રશ્નનો ઉતર ખોળવામાં તત્પર રહે છે. તે પ્રશ્ન છે. આમ કરવાથી શું થાય ?
ખાસ કરીને ઈશ્વર પરની શ્રદ્ધાનાં વિષયમાં મનુષ્યનું મન ખુબ જ કન્ફયુઝ હોય છે ? ઘણા પ્રેક્ટીકલ તથા સાયન્ટીફીક મનોવૃત્તિ ધરાવતા લોકો એવું કહે છે કે ઈશ્વર પર શ્રદ્ધા રાખવાથી કઈ ઈશ્વર આપણા કાર્યો પુરા કરવા માટે નીચે આવવાના છે ? માન્યું કે ઈશ્વર આપણા કાર્યો પૂર્ણ કરવા માટે નીચે આવવાના નથી પરંતુ આપણે તો આપણા કાર્યો સિદ્ધ કરાવવા ઈશ્વર પાસે જઈ જ શકીએ છીએ ! બસ ઈશ્વર એટલે કોઈ એવી વિભૂતિ કે જેની પાસે આપણે કઈ પણ માંગી શકીએ છીએ. જે રીતે એક નાનું બાળક બોલતા શીખતું હોય ત્યારે ડગલે ને પગલે તેના પિતા કે માતાની મદદ માંગે છે તે જ રીતે આપણે પણ જગતપિતા ઈશ્વર પાસે કાંટાળા જીવનપથને સારી રીતે પસાર કરવા માટે મદદ અવશ્ય માંગી શકીએ ?
ઈશ્વર પરની શ્રદ્ધા વિષે એક સામાન્ય ગેર સમજ એવી છે કે ઈશ્વર પાસે પ્રાથના કરવાથી ઈશ્વર આપણા પર આવેલી વિપરીત પરિસ્થિતિ કે મુસીબતને દૂર કરી આપણે જે લક્ષ્ય માટે ઝઝૂમી રહ્યા છીએ તે લક્ષ્ય ને સરળ બનાવી લક્ષ પૂર્ણ કરે છે. પરંતુ એવું નથી ઈશ્વર ધરતી પર વસતા લાખો કરોડો માનવીઓનો પિતા છે જ્યારે જુદા જુદા વિષયો જેવા કે આધ્યામિક, વ્યવાસાયિક, સંગીત વગેરેમાં શિખરના સ્થાનો ખૂબ ઓછા છે તેથી યોગ્ય વ્યક્તિને યોગ્ય શિખર પર પહોચાડવા માટે ઈશ્વર પ્રતિકુળ પરિસ્થિતિઓનું સર્જન કરે છે અને આપણને એ પરિસ્થિતિમાંથી પાર ઉતરવાની તક આપે છે. તેથી વિપરીત પરિસ્થિતિઓને આપણે ઈશ્વરે આપેલી એક તક સમજી હસતા મૂખે તેનો સામનો કરવો જોઈએ.તો પછી એક પ્રશ્ન એવો ઉપસ્થિત થાય કે જો સૃષ્ટિમાં બધું ઈશ્વર કરે તે પ્રમાણે જ થતું હોય તો પછી ઈશ્વર પર શ્રદ્ધા રાખી પ્રાથના-અર્ચના કરવાનો અર્થ શું ?આ પ્રશ્નનો વાસ્તવિક ઉતર એવો છે કે જ્યારે તમે ઈશ્વરની સમક્ષ પ્રાથના કરવા બેસો છો ત્યારે તમે તમારા મનનો ઉદ્વેગ બહાર કાઢી મનને હળવું કરો છો. જેવી રીતે આપણે અમુક પરિસ્થિતિઓ જેવી કે Financial Planing, Tax Saving વગેરે માટે તે વિષયના Experts પાસે માર્ગદર્શન લઇએ છીએ અથવા કોઈ કૌટુંબિક મુશ્કેલી માટે ઘરના વડીલ પાસે પોતાનું મન ખોલીને વાત કરીએ છીએ અને જે તે વિષયનાં નિષ્ણાતો આપણને તે પરીસ્થીતીમાંથી બહાર નીકળવાના સંભવિત માર્ગો સૂચવે છે. તે જ રીતે ઈશ્વર તો સંસારના સમગ્ર વિષયોનો Experts છે. તેની પાસે આપણે આપણા કોઈ પણ પ્રશ્નો, માનસિક કે શારીરિક નબળાઈઓ, આળસવૃતિ, દ્વેષભાવના મન હળવું તેમજ શાંત કરી શકીએ છીએ.હવે મુખ્ય વળાંક આ જગ્યાએ આવે છે કે આપણે ઈશ્વર સમક્ષ અનેક મંત્રો, પ્રાથનાઓ, સ્તુતિ ગાન કરી આપણું મન તો હળવું કરી લઈએ છીએ પરંતુ જે પ્રતિકુળ પરિસ્થતિમાંથી આપણે માર્ગ કાઠવાનો છે તેના વિષે વિચારતા ભૂલી જઈએ છીએ. તેથી જ્યારે પણ આપણે પ્રભુ પાસે માનતો, પૂજા-અર્ચના કે પ્રાર્થના કરી મનને શાંત કરી લઈએ છીએ પછી તુરંત જ શાંત ચિતવાળા મને આપણે આપની જે કઈ પણ મુશ્કેલીઓ હોય તેમાંથી પાર ઉતારવાના સંભવિત માર્ગો ખોલવા માટે ધ્યાન ધરવું જોઈએ. એકાગ્ર ચિતે કોઇપણ વિપરીત પરિસ્થિતિ પર વિચાર કરવામાં અને સાથે જો ઈશ્વર જેવા super expert નું સાનિધ્ય હોય તો કોઈપણ Problem નું યોગ્ય અને ઉતમ Solution મેળવી જ શકાય છે.
આમ પ્રાથના મનને શાંત કરે છે તથા ચિતને એકાગ્ર કરે છે અને ઈશ્વર એક પ્રકારનો Moral Support અને Positive Thinking આપે છે કે જે મુસીબતનું આપણે નિવારણ કરવા માટે આપણે પ્રથ્નામાં બેઠા છીએ તેનો ઉતમ ઉકેલ ઈશ્વર આપણને મનના માધ્યમ દ્વારા અવશ્ય આપશે.
:: શ્રદ્ધા અને સફળતા ::
તમે ઘણા સંતો-મહંતો કે કથાકારો પાસે એક વાક્ય અનેક વખત સાંભળ્યું હશે કે ઈશ્વર તો આપની અંદર જ છે. હા એ વાત ખરી કે ઈશ્વર આપની અંદર છે પરંતુ આપના શરીરના કયા ભાગમાં ઈશ્વર રહે છે ?
ચાલો આ પ્રશ્નના ઉતર પહેલા એક સરહ ઉદાહરણ લઈએ જે રીતે એક જીનીયસ એન્જીનીયર કોઈ માઈક્રોપ્રોસેસર ચીપને તૈયાર કરી કોમ્પ્યુટરનાં મધર બોર્ડ માં ફિક્સ કરી દે છે પછી તે કોમ્પ્યુટરનાં દરેક કર્યોનું સંચાલન તે ચીપ પોતાની જાતે જ કરે છે. પરંતુ તે ચીપને તૈયાર કરનાર એન્જીનીયરની બુદ્ધિનો તથા તેના કૌશલનો અંશ તો તે ચિપમાં રહેલો છે જ બરાબર તે જ રીતે ઈશ્વરે પણ સૃષ્ટિના દરેક માનવી માટે એક ચીપ બનાવી તેમની અંદર ફિક્ષ કરેલી ચીપ જે તે આપણને ઘણા બધા નામોથી ઓળખીએ છીએ જે કે અંતરમન, આત્મા, સબકોન્સિયન માઈન્ડ, ડીપર માઈન્ડ વગેરે......તેથી માનવીના મનની અંદર જ ઈશ્વરની શક્તિઓનો અંશ રહેલો છે.
:: ઈશ્વરે મનની અંદર અનંત શક્તિઓ આપેલી છે ::
માનવીના વિચારો દ્વારા માન્યતાઓ દ્વારા તેના વર્તનનું સંચાલન થાય છે પરંતુ આ વિચારોનું સંચાલન મન દ્વારા થાય છે. આ વિચારો જ વ્યક્તિને સફળતાના શિખરો સુધી પહોચાડી શકે છે તથા વિચારો વ્યક્તિને નિષ્ફળતાની ખાઈમાં ધકેલી શકે છે. જો વિચારો હકારાત્મક હશે તો જીવન સુખમય થશે જો વિચારો નકારાત્મક હસે તો જીવન દુ:ખના ડુંગરોથી દબાય જશે જો વિચારો શ્રદ્ધા અને વિશ્વાસથી ભરપુર હશે તો દરેક વિધ્નોને પાર કરી સફળતા તમારી પાસે દોડતી આવશે પરંત જો વિચારોમાં શંકા , ભય ઉદભવસે તો સફળતા માટે જીવનભર તેની પાછળ દોડતા રહેવું પડશે. હવે પ્રશ્ન એ છે કે આ શ્રદ્ધા મનમાં જગાડવી કઈ રીતે ? મોટાભાગના લોકોની એવી શકાયત હોય છે કે અથાગ પ્રત્યનો કરવા છતાં મનમાં આવતા ભય કે શંકા રોકી શકાતા નથી અને વિશ્વાસ તૂટી જાય છે. પરંતુ આ સમસ્યાનું નિરાકરણ પણ ઈશ્વરે મનમાં જ આપ્યું છે.
ભગવાને આપણને બે પ્રકારનાં મન આપ્યા છે એક બાહ્યમન અને બીજું છે અંતરીક મન, બાહ્ય મન બહારના વાદ-સંવાદ, દ્રશ્યો તથા અનુભવો પરથી વિચાર ઉત્પન્ન કરે છે જ્યારે આંતરિક મન સ્વયં ઈશ્વરની વાણી સાંભળી તે મુજબ વિચારો ઉત્પન્ન કરે છે. આંતરિક મન દ્વારા ઈશ્વર આપણને સમયે સમયે માર્ગદર્શન આપતા જ રહે છે પરંત બાહ્યમનની સતત સક્રિયતાને કારને આપણે બહારની દુનિયાના બનાવોથી બાહ્ય્માંનમાં ઉત્પન થતા વિચારોમાં જ એટલા બધા રચ્યા - પચ્યા રહીએ છીએ કે આંતરિક મન પર ધ્યાન કેન્દ્રિત કરી શકતા નથી જરૂર છે માત્ર આંતરિક મન પર ધ્યાન કેન્દ્રિત કરી પ્રભુની વાણીને ધ્યાનથી સાંભળવાની. જો આ ક્રિયા દરરોજ નિયમિત રીતે કરવામાં આવે તો કોઈપણ મુશ્કેલીનો ઉકેલ, કોઇપણ દુ:ખનું નિરાકરણ, કોઈપણ મુંઝવણનો સાચો માર્ગ આપણને આપના જ આંતરિક મન પાસેથી ચોક્કસ મળી શકે છે. પરંતુ આંતરિક મન ધ્યાન કેન્દ્રિત કરવું એટલું સહેલું નથી. તેના માટે દરરો જ પંદરથી વીસ મિનીટ વહેલી સવારે કે રાત્રે સુતી વખતે અથવા જ્યારે પણ બાહ્ય મનના વિચારો મંદ પડેલા હોય ત્યારે જ એપણ આસનમાં તમે હળવાશ અનુભવો તે આસન ગ્રહણ કરી આંતરિક મનને ઈશ્વર સાથે સંપર્ક સાધી આપવાનો આદેશ કરવો. અને તમે જે દેવ - દેવી માં સૌથી વધુ શ્રદ્ધા રાખતા આવ્યા છો તેની ચાબી બે આંખોની વચ્ચેના નાકની ઉપરના ભાગમાં દ્રશ્યમાન કરવી. ત્યારબાદ આ દેવની આકૃતિ સમક્ષ તમારી સમસ્યાઓ, તકલીફો વિશે ખુલ્લા મનથી વાત કરવી આ ઉપરાંત જીવનમાં તમે જે પણ સિધ્ધિઓ તથા ધ્યેયપુર્તી કરવા માંગો છો તે વિનંતી. દેવ સમક્ષ કરવી અને જે તે સફળતાની જીવંત - ચલિત દ્રશ્ય મનમાં પ્રગટ કરવું. આ રીતે દરરોજ નિયમિત રીતે ઈશ્વર સાથે વાળ-સંવાદ અને સમસ્યાઓ વિષે ચર્ચા કરવાથી દરેક વિકટ સમસ્યાનો ઉકેલ તેના ચોક્કસ સમયે ઈશ્વર આંતરિક મનના માર્ગે અંત:સ્ફૂરણા, સ્વપ્ન અથવા સામાન્ય વિચારના રૂપે અવશ્ય આવે છે. આ રીતે નિયમિત ઈશ્વર સાથે વાર્તાલાપ કરવાથી જે સિદ્ધિ કે સફળતા હાંસલ કરવાની હોય તેનું મનોચીત્રણ કરી આંતરિક મન દ્વારા ઈશ્વર સુધી પહોચાડવાથી ધીરે ધીરે મન સ્થિર થાય છે અને જે તે સમસ્યા કે નક્કી કરેલ ધ્યેય પ્રત્યે એકાગ્ર બને છે.
આ રીતે એકાગ્ર મન તથા નક્કી કરેલું લક્ષ્ય પ્રાપ્ત થશે જ એવા હકારાત્મક વિચારો કરવાની આદત પડી જવાથી મનમાં પોતાના અને ઈશ્વર ઉપર એક અનેરી શ્રદ્ધા ઉત્પન્ન થાય છે જે શ્રદ્ધાએ અનેક સામાન્ય વ્યક્તિઓને મહાનુભાવોની પદવી સુધી પહોચાડ્યા છે.
Family Tree of Mr. Vishnuprasad Hematlal Vachharajani
Tavaralaxmi H. Vachharajani
Hematlal Vachharajani
Nirgunaben Vishnuprasad Vachharajani
Dinesh V. Vachharajani
Dushyant V. Vachharajani
Bhadresh V. Vachharajani
Late Nayanaben Desai
Kinnari K. Vasavada
Pritesh K. Vachharajani
Mitesh K. Vachharajani
Late. Setu Vachharajani
Late. Retu Vachharajani
Vani Mitesh Vachharajani
Narhariprasad V.
Chandrabala Zala
Niranjanbala Hathi
Kaushikbala Desai
Mahesh K. Desai
Nirupama D. Vachharajani
Maya B. Vachharajani
Krupali P. Vachharajani
Madhavi M. Vachharajani
Labhgauri G. Mankad
Ganpatram D. Mankad
Shashikant G. Mankad
Bindukant G. Mankad
Vamanrai G. Mankad
Gulabrai G. Mankad
Kantaben P. Swadia
Mahalaxmi K. Swadia
Chandrashankar D. Zala
Gunsukhrai L. Hathi
Photo Album of Mr. Vishnuprasad Hematlal Vachharajani
No Photos
Videos of Mr. Vishnuprasad Hematlal Vachharajani
No videos
Post a tribute & share memories
Fond Memories & Remembrance
Related Profiles
Post Condolences
Parimal Swadia
11 years ago
PADMA DHOLAKIA
11 years ago
PRAVIN SWADIA
11 years ago
kinnari
12 years ago
we are too happy that we have got chance to live with you. we really miss you so much in our every moment. Please come back!
we are too happy that we have got chance to live with you. we really miss you so much in our every moment. Please come back!
RATNADIP S MANKAD
12 years ago